________________
૩૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : એ ભગવાન તો સહજ પ્રકાશે છે, તો પછી આ વચ્ચે કોણ છે કે જે આ બધું વિકારી કરી નાખે છે ?
દાદાશ્રી : જે મોક્ષ ખોળે છે તે, બંધાયેલો છે તે. પ્રશ્નકર્તા અને એ આપે કીધું અહંકાર? દાદાશ્રી : હા, અહંકાર ને મમતા. જે બંધાયેલો છે તે છૂટવા માગે
પ્રશ્નકર્તા : એ જે બંધાયેલો છે તે કયા પક્ષમાં છે ? પ્રકાશના પક્ષમાં છે કે આ પરમાણુઓના પક્ષમાં ?
દાદાશ્રી : પરમાણુઓના પક્ષમાં. એ પરમાણુઓનો બનેલો છે. એ પરમાણુઓનું વિકારી સ્વરૂપ છે.
પરમાણુની જે વિકારી અવસ્થા છે એને પુદ્ગલ કહે છે. પુદ્ગલ એટલે પૂરણ-ગલન. આત્મા જુદો છે ને આ પૂરણ-ગલન જુદું છે. જ્યાં સુધી પૂરણ-ગલનના સોદામાં છો, ત્યાં સુધી આત્મા પ્રાપ્ત નહીં થાય. એ સોદા જ્યારે બંધ થઈ જશે, એ સોદાના માલિક તમે નહીં રહો ત્યારે તમારો આત્મા પ્રાપ્ત થશે.
વિભાવ-વિશેષભાવ તે વિકાર પ્રશ્નકર્તા : વિકાર એટલે શું? વિકારનો સૈદ્ધાંતિક અર્થ સમજાવો.
દાદાશ્રી : આત્મા વિકારમાં આવ્યાથી આ સંસાર ઊભો થઈ ગયો છે. નિર્વિકાર એટલે મોક્ષ.
પ્રશ્નકર્તા: વિકાર જ સમજણ નથી પડતી, વિકાર કોને કહેવાય, વિકાર શબ્દ ?
દાદાશ્રી : આ પાણી પાડીએ, તે એની મેળે નીચે જાય. એ વિકાર ના કહેવાય, નિર્વિકાર કહેવાય. અને પાણીને ઊંચે ચડાવીએ એક ફૂટ, તે વિકાર કહેવાય. પાણીને એક ફૂટ ઊંચે ચડાવે એ એનો સ્વભાવ નથી, એ વિકારી થયું કહેવાય. એવા જાતજાતના વિકાર. આપણે મેળવણ નાખીને