SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] નિર્વિકારી-અનાસક્ત [૧૫.૧] વિકારી-તિર્વિકારી આત્મા નિર્વિકારી, પણ અહંકારી ચિંતવને થાય વિકારી પ્રશ્નકર્તા : આત્મા નિર્વિકારી છે, તો પછી આ જીવાત્મા બધા વિકારી કેવી રીતે થાય છે ? દાદાશ્રી : આત્માનો (અજ્ઞાનતામાં) એક ગુણ એવો છે, કે જેવો ચિંતવે તેવો જ થઈ જાય. આમ મૂળ ગુણ નિર્વિકારી છે, પણ એ ચિંતવે કે “હું વિકારી છું' તો વિકારી થઈ જાય. મૂળ ગુણ જાય નહીં, પણ ચિંતવેલો ગુણ નાશ પામે. પ્રશ્નકર્તા એટલે આ વિકારી અથવા નિર્વિકારી એ પોતે જ થાય છે ? દાદાશ્રી : આમ સંજોગો બાઝે ત્યારે વિકારીય થઈ જાય. એ પોતે કહેય ખરો, મારો સ્વભાવ વિકારી છે. અને નિર્વિકારીય થઈ જાય, આમ સંજોગો બાઝે તો. પ્રશ્નકર્તા : એ કોણ ? દાદાશ્રી : અહંકાર.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy