________________
(૧૦.૧) સ્વક્ષેત્ર-પરક્ષેત્ર
બાકી હવે કોઈ પણ મૂંઝામણ થાય તો જાણવું કે આપણે સ્વક્ષેત્રની બહાર પરક્ષેત્રમાં હાથ ઘાલ્યો છે. એટલે તરત જ કહી દેવું કે આ ‘મારું સ્વરૂપ ન્હોય’, તેની સાથે જ છૂટ્યું.
પ્રશ્નકર્તા : આ મારું નથી, એની સાથે છૂટ્યું.
દાદાશ્રી : હા, મારું ન્હોય. મારા સ્વરૂપમાં આ છે નહીં અને છે એ મારું સ્વરૂપ ન્હોય આ. ઘડભાંજ મારા સ્વરૂપમાં છે જ નહીં. નિરંતર પરમાનંદી છે. જ્યાં સંસારનો સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખનો અભાવ વર્તે છે, એટલે આપણે પુરુષ થયા પછીનો આવો પુરુષાર્થ હોવો જોઈએ.
૨૭૫
ત કરવી ડખલ કશી, ખાલી જોવા મત-બુદ્ધિ-ચિત્તને
તમે જ્ઞાતા-દ્રષ્ટા એટલે ચંદુભાઈનું કેમ ચાલે છે એ તમારે જોયા કરવાનું. અને ચંદુભાઈનું મન શું કરે છે તે જોયા કરવાનું. કારણ કે મન તમારા તાબે રહ્યું નહીં, બુદ્ધિ તમારા તાબે રહી નહીં, ચિત્ત તમારા તાબે રહ્યું નહીં. બધું જ આ બાજુ આવી ગયું ને તમે જુદા રહ્યા. એટલે તમારે તમારા ક્ષેત્રમાં જ રહેવું. હવે ક્ષેત્રની બહાર નીકળાય નહીં. પરક્ષેત્રે હતા તે સ્વક્ષેત્રે આવ્યા. એટલે પરક્ષેત્રમાં ડખલ નહીં થવી જોઈએ. એટલે ચંદુભાઈના મનને-બુદ્ધિને-ચિત્તને એ બધા શું કરે છે એ જોયા કરવાનું. ખરાબ કરતું હોય, ખોટું કરે એ જોવાનું (નોંધ લેવાની) નહીં આપણે, પણ એ શું કરી રહ્યું છે એને જોયા જ કરવાનું. સારું-ખોટું હોતું જ નથી ભગવાનને ત્યાં. સારું-ખોટું સમાજને આધીન છે.
આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં. એને કશું થાય નહીં એવો છે. તે આપણે આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે, નહીં તો કામ બધું નકામું. આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં.
પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે.
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવમાં આવે ત્યારે થાય મુક્તિ
પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ વિસ્તૃતરૂપે સમજાવો.