________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૫૯
દાદાશ્રી : પુદ્ગલ રમણતા પરઉપયોગ અને સ્વરમણતા સ્વ ઉપયોગ, સ્વરમણતા એ શુદ્ધ ઉપયોગ. આત્મા જોવા એ શુદ્ધ ઉપયોગ થયો કહેવાય. જ્ઞાનીનો આપેલો, દેખાડેલો આત્મા એ બધું જુઓ એ શુદ્ધ ઉપયોગ.
જેટલો શુદ્ધ ઉપયોગ, એનું નામ શુદ્ધ નિશ્ચય, એ જ શુદ્ધ આત્મરમણતા અને તો જ શુદ્ધ વ્યવહાર રહે. જેટલો શુદ્ધ નિશ્ચય હોય એટલી વ્યવહાર શુદ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુદ્ધ થાય એટલી વ્યવહાર અશુદ્ધતા.
આપણે તો હવે બધું ચોખ્ખું કરીને સ્વ-ઉપયોગમાં રહી અને મોક્ષે જવાનું છે. સ્વરમણતા, આત્મરમણતા, સ્વ-ઉપયોગ જે કહો તે એમાં રહીને !
પ્રશ્નકર્તા ઃ દાદા, પણ પહેલા તો આત્મરમણતા, સ્વ-ઉપયોગ, આત્મા એ બધી વાતોમાં કોઈ રસ પડતો હોતો ને આજે તો જ્યારે આ વાતો સાંભળીએ તો એના આનંદથી ઊભરાઈ જવાય છે.
દાદાશ્રી : પહેલાની એ વાત તે કોના ઘરની વાત ? મોટા માણસ છે તે શિખંડ ને બાસુંદી એવું બધુંય જમતા હોય, તે આપણે અહીં વાતો કરીએ તેથી કંઈ આપણું મોટું કંઈ મીઠું થાય ?
પ્રશ્નકર્તા: ના થાય.
દાદાશ્રી : એ બધી વાતો જ બુદ્ધિ વધારનારી. તે ડખલમાં પડ્યો. આ તો મૂળ માર્ગ ઉપર આવી ગયા, વસ્તુ હાથમાં આવી ગઈ. સ્વઉપયોગ હાથમાં આવી ગયો, આત્મરમણતા હાથમાં આવી ગઈ અને પરરમણતા ટળી. જે પુદ્ગલમાં રમણતા હતી એ ટળી ગઈ.
સ્વરમણતામાં રહે ત્યારે બહાર વ્યવસ્થિત જ હોય
પ્રશ્નકર્તા એવું મનમાં બેઠું છે કે શુદ્ધાત્માનું જે લક્ષ થયું તે પહેલા તો આત્મા ને દેહની ભિન્નતા ખબર નહોતી. હવે આ પુદ્ગલ આત્માના પ્રદેશોની અંદર જે ભરેલું હોય, તે વ્યવસ્થિત પ્રમાણે બહાર નીકળેને?