________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પછી તો વાર જ નથી લાગતી. છેલ્લા અવતારમાં પાંચ વર્ષમાં બધી જ ચીજ આવી જાય છે. કેટલું લાંબું હશે એટલું બધું ? કારણ કે સંયમ પરિણામ એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, ન પૂછો વાત. સંયમ પરિણામ કરોડ અવતાર સુધી એક માણસને ના થાય એટલા એક જ્ઞાની પુરુષને એક કલાકમાં સંયમ પરિણામ વર્તે. ત્યારે તેથી પણ આગળ જાય તો કેવળજ્ઞાનીને શું થાય ? બહુ જ સંયમ પરિણામ.
મહાત્મા સ્વપરિણતિમાં, દાદા સ્વપરિણામમાં
૨૨૬
સંયમ પરિણામ એટલે આત્મપરિણામ અને પુદ્ગલ પિરણામ બન્ને યથાર્થપણે જુદા રહેવા. પુદ્ગલ પરિણામને જોવા એ આત્મપરિણામ. પ્રશ્નકર્તા : પુદ્ગલના માલિક નથી ત્યાં પછી દેહની ક્રિયાઓ ને મનને જોવાનો શું અર્થ ?
દાદાશ્રી : તમેય દેહના માલિક તો નથી. પણ તમારાથી બોલાય નહીં એવું, કારણ કે હજુ પરપરિણામમાં છો. પણ છતાં પરપરણિત નથી તમને. શું કહું છું હું ? પરપરિણામમાં તો ખરા ! આમાં મજા કરો છો, ટેસ્ટ કરો છો, છતાં તમને પરપરણિત નથી.
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યું એટલે અમારે સ્વપરિણતિ અને સ્વપરિણામ જ રહ્યાને ?
દાદાશ્રી : પરિણતિ તો, તમને બધાને સ્વપરિણતિમાં જ મૂક્યા છે. તમે ‘હું કરતો નથી’ એવા જ ભાવમાં છો, પણ સ્વપરિણામ નથી થયું. સ્વપરિણામ જોઈએ. તમને સ્વપરિણતિ છે, સ્વપરિણામ નથી. અમે સ્વપરિણામમાં છીએ. સ્વપરિણામ એ જ પરમાત્મા પદ.
મહાત્માનું જોવું-જાણવું બુદ્ધિતું, સ્વપરિણામતું હોય સ્વાભાવિક
પ્રશ્નકર્તા : હવે પુદ્ગલ પિરણામને જુદું જોઈએ છીએ, તો એ જ્ઞાનથી છે તો એ પણ રિયલ જ્ઞાનથી છે ?
દાદાશ્રી : હં, રિયલ ન્હોય. પણ છતાં લોકોને સંતોષ છે અને સાચો