SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૪) સ્વપરિણામ-પરપરિણામ ૨૨૭ સંતોષ છે. પહેલા જે જાણવા-જોવાથી એને રીસ ચઢતી'તી, તે નથી ચઢતી જોવા-જાણવાથી. પ્રશ્નકર્તા : છતાંય આ બુદ્ધિનું જ થયું ? દાદાશ્રી : તે બુદ્ધિ નહીં તો બીજું શું ત્યારે ? તું એમ જાણે આત્માનું આવી ગયું મહીં ? એવો કંઈ આત્મા સહેલો હશે ? પ્રશ્નકર્તા ઃ એટલે અત્યાર સુધીનું છે એ બધું બુદ્ધિનું જ થયું તો પછી આત્માનું જોવા-જાણવાનું કેવું હોય તેમાં ? દાદાશ્રી : આ બુદ્ધિથી જાણવા-જોવાનું છે એ પરપરિણામ છે એવું જાણે ત્યારે સ્વપરિણામને સમજે. આમાં જે જોવા-જાણવાનું થાય છે તે આ પણ પરપરિણામ છે, એવું જાણે કે ત્યારે એ સ્વપરિણામ ખોળે છે કે સ્વપરિણામ ભણી પાછો ચાલી રહ્યો છે. પણ આ તો બધા સ્વપરિણામ માને છે, જોવું-જાણવું થાય છે તેને. પ્રશ્નકર્તા: હા, તો તો એ સ્વપરિણામ તરફ ગયો એવું કહ્યું, એટલે સ્વપરિણામ તો પણ નથી આવ્યા. દાદાશ્રી : સ્વપરિણામ શી રીતે હોય ? સ્વપરિણામ ચોખ્ખા હોય. સ્વપરિણામ સ્વાભાવિક હોય. પ્રશ્નકર્તા ઃ સ્વપરિણામ સ્વાભાવિક એટલે શું ? દાદાશ્રી : એના દ્રવ્યના ગુણ, દ્રવ્યના પર્યાય બધાય જાણવા. મહાત્માઓ મને કહે છે કે “દાદા, (હું) જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. મેં કહ્યું, “બહુ સારું.' હા, પણ એ સારું છે ને, એને રાગ-દ્વેષ થતા નથી. જ્ઞાતા-દ્રષ્ટા ન રહે તો ચિઢાય પેલાની ઉપર. એટલે એ તો પુરુષાર્થ છે ને ! ભયંકર વેદનામાંય પરપરિણતિ ઉત્પન્ન ન થાય એ તપ પ્રશ્નકર્તા: તો પછી સ્વપરિણામ માટે શું ખૂટે છે ? દાદાશ્રી : તપ જોઈશે, ત્યારે કહે છે કે જે વેદના થતી હોય ! આ
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy