SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ [c.3] મહાત્માઓતી સ્વપરિણતિ નાટકીય અહંકારે હવે પરપરિણતિ રહી નિર્જીવ પ્રશ્નકર્તા : દાદા, કોઈવાર અહંકાર હજુ ઊભો થતો હોય એવું લાગે છે, તો એ પરપરણિત થઈ ? દાદાશ્રી : આ જ્ઞાન પછી તમારો મૂળ અહંકાર તો જતો રહ્યો છે પણ દુનિયાને દેખવાનો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. તમારે કર્મ બંધાતા હતા, તે ચાર્જ અહંકાર ગયો. અહંકાર એ પૌદ્ગલિક વસ્તુ છે. પુદ્ગલમાંથી આ અહંકાર ચાલુ રહે છે ને માણસને ના કરવો હોય તોય થયા કરે. હવે તમને અહંકાર તો રહેવાનો પણ તોય અહંકાર કેવો ? નિર્જીવ રહેવાનો. પહેલા સજીવ હતો. અને આત્માની જે મૂળ ચૈતન્ય શક્તિનો પ્રવાહ આમ વહી રહ્યો’તો, તે પ્રવાહ આમ સ્વપરિણતિમાં ઉત્પન્ન થયો. એટલે પરપરણિત રહી તો ખરી પણ નિર્જીવ રહી હવે. નિર્જીવ એટલે નાટકીય અહંકાર જેવો ડ્રામેટિક અહંકાર, બધું ડ્રામેટિક રહ્યું હવે. મહાત્માને પરપરિણામ હવે વ્યવસ્થિતને તાબે આપણે ત્યાં આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતના તાબે છે. તેને ડિસ્ચાર્જ કરવાનું કામ વ્યવસ્થિતનું છે.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy