SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) સ્વપરિણતિમાં છે એ સંન્યસ્ત પ્રશ્નકર્તા આપે જે સંન્યાસી શબ્દ કહ્યોને, તો એ ખરા સંન્યાસીનો અર્થ સમજાવો. એમની સ્વપરિણતિ, સ્વપરિણામ કેવા હોય? દાદાશ્રી : પરપરિણામને અને સ્વપરિણામને સમજીને ચાલતા હોય તે સંન્યાસી કહેવાય. પરપરિણામને અને સ્વપરિણામને જે જાણી શકે તે સંન્યાસી. પ્રશ્નકર્તા અને દાદા, સંન્યાસનો અર્થ સમજાવો, સંન્યસ્ત ! દાદાશ્રી : સંન્યાસ તો પરપરિણતિને ખસેડ ખસેડ કરે. ક્રમિક માર્ગમાં પરપરિણતિને ખસેડ ખસેડ કરે. અને એને આ સંસાર ડખામાં પડેલી ના હોય કશી. જે સંસારમાં રહે છે, બધી રીતે સંસારી છે, પણ સંસારના ભાવમાં એટલે પરભાવમાં નથી, જે સ્વપરિણતિમાં છે એ સંન્યસ્ત છે. અગર સ્વપરિણતિમાં જેની શરૂઆત થઈ છે, હજુ પૂર્ણાહુતિ નથી થઈ એ સંન્યસ્ત. આચાર્ય ભગવંતને હોય ઘણી ખરી સ્વપરિણતિ પ્રશ્નકર્તા આચાર્ય ભગવાનની પરિણતિ કેવી હોય ? દાદાશ્રી : આચાર્ય ભગવાન તો કેવો હોય ? કે પોતે સ્વ-પરનું જ્ઞાન ધરાવતા હોય અને પરપરિણતિમાં થોડા કાચા હોય. સ્વપરિણતિ જ હોય ઘણી ખરી. પ્રશ્નકર્તા: પરપરિણતિમાં થોડા કાચા હોય એ ના સમજાયું. દાદાશ્રી : પરપરિણતિમાં થોડા કાચા હોય એટલે એ શું કરે કે બીજા બાબતમાં કર્તા છું' એવું ના કહે, પણ આ ભણીએ છીએ, ભણાવડાવીએ છીએ એ બધામાં અમે કર્તા છીએ. આચાર પળાવડાવીએ છીએ તેમાં અમે કર્તા છીએ. એ પરપરિણામના એટલા ભાગના કર્તા રહેલા હોય છે. એ તો ચાલી શકે, એ ક્રમિક માર્ગમાં થોડાઘણા પરપરિણામના કર્તા હોય તો જ આચાર્ય કહેવાય.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy