________________
(૮.૨) સ્વપરિણતિ-પ૨પરિણતિ
કહેશે. હવે એને ખરેખર પરિણિત નથી ગણાતી, પણ છતાં આ પરિણતિનો અર્થ નીચો લાવ્યા. બે જ પ્રકારની પરિણતિ; એક સ્વપરિણતિ ને બીજી પ૨પરિણિત. બીજે રિણિત ના વપરાય.
૧૯૫
કેટલાક કહે છે કે આ ભાઈની પરિણિત બરાબર નથી, પણ પરિણતિ વસ્તુ જુદી જ છે. તેને લોક જ્યાં ત્યાં વાપરે છે.
આ ‘પરિણતિ’ શબ્દ જ કોઈથીયે ના બોલાય. આ તો બધા જ ‘પરિણતિ’ શબ્દ બોલે છે ને શબ્દ વાપરે છે. એ શબ્દ તો જ્ઞાનીનો છે. જ્ઞાની જ ‘પરિણતિ' શબ્દ બોલી શકે.
ધર્મમાં હોય કે ગમે ત્યાં પરપરિણતિ શબ્દ ના વપરાય. વ્યાખ્યાનમાં જાય ત્યાં સંસારનો વિચાર આવે તો તેને પરપરિણતિ માને અને ધર્મના કાર્યને સ્વપરિણતિ માને. પણ એ પોતે જ મૂળથી પરપરિણતિમાં છે.
‘પરિણિત સારી નથી’ એવું કહે છે ને, એ શું હશે ? ભગવાનની ભાષા જુદી છે. ભગવાનની ભાષા રહી જ નથી. આ તો કહેશે, મનના શુદ્ધ પરિણામ રહે. આ કોણે અર્થ કર્યો છે તે જ નથી સમજાતું. એક મહારાજ સમજણ પાડતા કે પરિણતિ સારી રાખ. આ પરિણતિ બોલવાનો અધિકાર જ ના હોય. પરિણતિ તો તીર્થંકર કે જ્ઞાની બેને જ બોલવાનો અધિકાર છે.
એ સમિતી માણસને જ પિરણિત બોલવાનો અધિકાર, બીજા કોઈને બોલવાનો અધિકાર જ નથી. કારણ કે એ જ પરપરિણતિમાં છે ને એને પરિણિત બદલવાનું ક્યાં રહ્યું ? પરપરિણતિમાં છે, કાદવમાં જ છે ને પછી ‘કાદવને અડશો નહીં' એમ કહે, એના જેવી વાત છે.
ભાવની પિરણિત સારી રહેતી નથી એવું કહે છે ને ? એ પરિણિત શબ્દ વપરાય જ નહીં. છતાં ચોથા ગુંઠાણા પછી વપરાય. પણ ૫૨પરિણતિને સ્વપરિણિત માને તો સમકિત આગળ વધે નહીં. મનની, બુદ્ધિની પરિણતિ એ બધી પ૨પરિણતિ છે.