________________
[૮.૨] સ્વપરિણતિ-પરપરિણતિ
પરિણતિ એટલે શું ?
પ્રશ્નકર્તા : પરિણતિ એટલે શું, દાદા ? પરિણિતનો અર્થ સમજાવો.
દાદાશ્રી : પરિણતિ એટલે પરિણામને પોતાના માનવા. પરિણિત બે પ્રકારની : એક ક્રિયા પરિણતિ છે અને એક જ્ઞાન પરિણતિ છે. ક્રિયા પરિણતિ એ મિકેનિકલ છે, જ્ઞાન પરિણતિ દરઅસલ હોય. જગત આખું ૫૨પરિણતિમાં છે, સ્વપરિણતિ જોઈ જ નથી.
પુદ્ગલ પરિણામને પોતાના માતવા તે પરપરિણતિ
પ્રશ્નકર્તા : સ્વપરિણતિ-પરપરણિત એટલે શું એ સમજાવો.
દાદાશ્રી : પ૨પરિણતિ એટલે શું કે પુદ્ગલના પિરણામ પુદ્ગલ કરી રહ્યું છે તેને આપણે કહીએ છીએ, ‘હું કરી રહ્યો છું.’ એટલે કરે છે બીજો અને કહે છે કે ‘હું કરું છું.’ બીજાના પરિણામને ‘હું કરું છું’ એમ કહે છે, ‘પોતાના પરિણામ છે’ એમ કહે છે. છે પુદ્ગલના પરિણામ, તેને કહે છે કે ‘આ મારા પરિણામ છે.’ એ તો પુદ્ગલ જ થઈ ગયોને ! તારા આત્મ પરિણામ જુદા હોય. પુદ્ગલને, ક્રોધ-માન-માયા-લોભને પોતાના માનવા તે પરપરિણતિ.
તે લોકો પુદ્ગલ પિરણિતમાં છે. પુદ્ગલ પિરણામને પોતાના