________________
(૭.૩) અસ્પૃશ્ય
૧૮૫
પ્રશ્નકર્તા એને ક્યાં કોઈની સાથે લેવાદેવા છે ?
દાદાશ્રી : ના, બહુ તીખા થયા હોય તોય વીતરાગ ભાવ રહે ને મોળા થયા હોય તોય વીતરાગ ભાવ રહે એવો આત્મસ્વભાવ. સ્વભાવ નહીં ઓળખવાથી આખું જગત ભટકાઈ મર્યું છે. એનો સ્વભાવ છે એ તો. એમ જાણે કે આ મઠિયાનો રંગ એને જ અંદર લાગી જાય છે. જેટલા રંગ લાગ્યા છે ને, બધા મનને લાગેલા છે. એ શું જાણે કે આત્માને રંગ લાગી ગયો. અલ્યા મૂઆ, આત્માને રંગ અડે જ નહીં. એને કોઈ વસ્તુ સ્પર્શ ના થાય. એને અસ્પર્શ કહેવાય છે. તમને એનો સ્વભાવ ગમ્યો ? કોઈ વસ્તુ સ્પર્શ ના કરે.
પ્રશ્નકર્તા : બરાબર છે, દાદાજી, બિલકુલ બરાબર. દાદાશ્રી : કેવો સરસ સ્વભાવ છે ! પ્રશ્નકર્તા: આ નિરાળોને ! હંમેશાં, કાયમ નિરાળો ! દાદાશ્રી : નિરાળો. માર ખાય છે છતાં પોતે આનંદમાં હોય. પ્રશ્નકર્તા ઃ માર ખાય છે એ માલ જેવો લાગે.
દાદાશ્રી : હા, અમને ત્યાં કાઢી મૂક્યા તોય પણ આનંદ થયો. આત્મા જાણે કે કાઢી મેલનાર કોણ ને કાઢી મૂક્યો કોને ? અંદર એ આત્મા જાણે. આત્મા તેનો તે. પછી સ્વભાવની ખામી લઈને માથે લઈ લે કે આ મારું અપમાન કર્યું તો પછી આવી બન્યું. શેને લઈને માથે લઈ લે છે ? સ્વભાવની ખામી !
પ્રશ્નકર્તા : સ્વભાવની ખામી, એ સ્વભાવને ન જાણવાથી ને, દાદાજી ?
દાદાશ્રી : એટલે એ સ્વભાવની ખામી જ કહેવાય. પ્રશ્નકર્તા ઃ એ આત્માને ગેરહાજર કરે છે ? દાદાશ્રી : હા, એનું જાણપણું ખોવડાવી નખાવે છે.