________________
૧૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: એ ખબર નથી.
દાદાશ્રી : આ બધા પડઘા છે અને તે નિર્જીવ છે પાછા. એટલે તમારે સાંભળવાનું નહીં, પણ તે એમને એમ જાય એવાય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. એ લેપાયમાન ભાવો વારેઘડીએ જાતજાતના ઊભા થયા જ કરવાના મહીં. એ પણ આપણા અભિપ્રાયને લઈને છે. અભિપ્રાય જો ના હોય તો કશું નહીં. જેના અભિપ્રાય ગયા તેને કશું જ નથી. હજુ પાછલા અભિપ્રાય છે ને આપણા, તે હવે ના ઈચ્છા હોય છતાંય પાછલા અભિપ્રાય તો જાય નહીંને ! માટે અભિપ્રાય આપશો નહીં કોઈના માટે. અને આપો તો સમભાવે નિકાલ કરી નાખજો. હવે બોલતી વખતે તમે એવો શું ઉપાય કરશો, કે એ બેસી જાય ? ત્યારે કહે, તમારે એવું બોલવાનું કે એ તો ઉપકારી છે મારા. તો ટાઢા પડશે, નહીં તો ટાઢા નહીં પડે. તમને ગૂંચવી મારશે મૂઆ.
એટલે તમે એવું બોલશોને, ત્યારે એ બધાય બંધ થઈ જાય. આ તો નવી જાતનું, ઉપકારી કહે છે પાછા. એટલે પાછા ટાઢા થઈ જશે. આ તો બધી દુનિયા એવી છે. અહીં સાવ વગર કામનું. આ તો મહીં કશું જ નહીં. આખું આ આનાથી જ તોફાન ચાલી રહ્યું છે. એ મનવચન-કાયાના ભાવોથી જ, લેપાયમાન ભાવોથી જ ચાલી રહ્યું છે આ જગત.
પ્રશ્નકર્તા ઃ બહુ જ મોટું હથિયાર આપ્યું આપે આ તો !
દાદાશ્રી : હા, એટલે આ જે હોય તે તમે સમજી જજો. ગભરાશો નહીં, એ છોને આવે. તારે આવવા હોય એટલા આવને, કહીએ. લેપાયમાન ભાવો લેપે, તે તેમાં તિર્લેપ રાખે તે ઉપયોગ
પ્રશ્નકર્તા: આ પેલા જ્ઞાનના વાક્યો છે જે, લેપાયમાન ભાવોથી નિર્લેપ છું, એ જ્યારે પ્રસંગ વખતે વાપરે ત્યારે એ ઉપયોગમાં જ ગણાય
ને ?
દાદાશ્રી: ઉપયોગમાં જ. પર ઉપયોગમાં જતા અટકાવે એ વાક્યો.