________________
(૫) અગુરુ-લઘુ
૧૧૫
દાદાશ્રી : જલદી ઊતરી જાય. પાછું ભૂલી ના જાય. એ તો રાત્રે પડી જાય એક વાર સમજી લે તો, તેથી હું કહું છું ને, સમજી જાવ. અહીં આવીને સમજી જાવ કે આ શું છે ! પછી કાયમ સમાધિ રહેશે.
પેલી સમાધિ તો ગુરુ-લgવાળી છે, એ રિલેટિવ સમાધિ છે અને આપણી તો સહજ સમાધિ છે. આપણી સમાધિ તો અગુરૂ-લઘુ છે.
- “અગુરુલઘુ' મંત્રજાપે, રહે સ્વમાં સ્થિર
મન-વચન-કાયાની જે બધી ઘટમાળ અંતરમાં ઊઠે છે તે બધા જોય છે, ગુરુ-લઘુ સ્વભાવના છે. તે આપણે કહેતા'તા કે આ મને થાય છે. પણ આપણે તો હવે આત્મા થયા. આત્મા અગ્ર-લઘુ સ્વભાવનો છે. હવે બેનો મેળ પડે જ નહીંને !
હવે જે જે ભાવો અને વિચારો આવે તે નિકાલી બાબત છે. એક્ય ભાવ વિચાર આત્માનો હોય. ઈફેક્ટ (અસર) થાય તો હું અગુરૂ-લઘુ સ્વભાવનો છુંતેમ બોલવું.
જીવ ઉછાળે ચઢે ત્યારે હું અગુરુ-લઘુ સ્વભાવનો છું બોલ્યો કે ઉછાળો બંધ. બાધા-પીડા દેહને થાય ત્યારે હું અગુરુલઘુ સ્વભાવવાળો છું' તેમ બોલજો. ‘હું અગુરુલઘુ સ્વભાવવાળો છું એવું બોલે કે તરત જ પોતાની ગુફામાં પેસી ગયો. “અગુરુલઘુ સ્વભાવવાળો છું એ મોટામાં મોટો મંત્ર છે. આ જગતમાં બધા ડિપ્રેશનની પાછળ “અગ્ર-લઘુ સ્વભાવવાળો છું” એ બોલે, તે ઘડીએ ગમે તેવું ડિપ્રેશન આવ્યું હોય તો બંધ થઈ જાય. કેટલાય લોક, મહીં કલાક-કલાક બોલે છે. જેટલું બોલે એટલો લાભ ઉઠાવે.
અમે તો કહી છૂટીએ. ડૉક્ટરો દવાઓ બધી કહી છૂટે, દવાઓ આપી છૂટે, પછી પેલાને પીવી-ના પીવી હોય એની મરજી. ઘેર જઈને મૂકી રાખે તેને હું શું કરું? અણુટ-લઘુ સ્વભાવવાળો' બોલતા જ, ડિપ્રેશન થાય બંધ પ્રશ્નકર્તા : કોઈવાર શોક વ્યાપી જાય, એકદમ હતાશા થઈ જાય