________________
[3.૨]
અનંત ઐશ્વર્ય આત્મા પરમ ઐશ્વર્ય, પણ જેટલું અજાણ એટલું અપ્રગટ
પ્રશ્નકર્તા : દાદા, દરેક આત્મામાં ઐશ્વર્ય તો છે જ ને ?
દાદાશ્રી : હોય જ, અનંત ઐશ્વર્ય છે. ઐશ્વર્ય વગર આત્મા ન હોય.
પ્રશ્નકર્તા : પણ એનું ભાન નથી માટે
દાદાશ્રી : એને પોતાને ખ્યાલ જ નથી કે હું ઐશ્વર્યવાળો છું. જેટલો એને ખ્યાલ થાય એટલે એનું ઐશ્વર્ય પ્રગટ થાય. ઐશ્વર્ય છે જ પોતાને પણ (અનો) ખ્યાલ થવો જોઈએ.
આત્મા પરમ ઐશ્વર્યા છે, પણ આ આવરણને લઈને ઐશ્વર્ય બધું બંધાયું છે. એમાંથી જેટલા અંશે મહીં લાઈટ નીકળે છે, એટલા અંશનું એને ફળ મળે છે. એટલે અંશ સ્વરૂપે એને આ લાઈટ છે, અજવાળું છે, નહીં કે આત્મા અંશ સ્વરૂપ છે. આત્મા તો સર્વાશ જ હોય, નહીં તો થાય નહીં સર્વીશ. પછી શી રીતે થાય ? આત્મા સર્વાશ જ છે બધાનામાં, સર્વીશ. મેં મારો આત્મા પ્રગટ થયેલો જોયો. સર્વાશ રૂપે હતો ને સર્વાશ રૂપે છે. આવરણ તૂટી ગયું, બસ. એટલે આત્મા પરમાત્માથી છૂટો પડેલો નથી, એનો એ જ પોતે જ છે.