________________
૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આ વાત કોઈ જગ્યાએ હોય નહીં. આ વાત કોઈ જગ્યાએ ચર્ચાય નહીં. કારણ કે શેયને પણ એ નથી સમજતા. ના સમજી શકે એ માણસ. સમજી શકે જ નહીં ને ! કોઈનું ગજું નહીં આ તો ! આ વાત જ અજાયબી કહેવાય.
અનંતા જોયોને જાણવામાં પરિણમેલી એ વાક્યનો અર્થ કરવો હોય તોય ના જડે. એ શું કહેવા માગે છે તેમ સમજણ ના પડે. આપણે આત્મા પ્રાપ્ત થઈ ગયોને? લક્ષમાં બેસી ગયોને? પછી એથી વધારે શું જોઈએ ? અને એ આત્મા એના પોતાના ગુણધર્મો સહિત છે જ !
પ્રશ્નકર્તા : પણ તોય દાદા, એવું થાય કે તમારા જેવું ક્યારે થશે ?
દાદાશ્રી ગુંઠાણું (નિશ્ચયનું) તો તમને દાદા જેમાં છે એ જ પ્રાપ્ત થયું છે. બાકી, દાદા તો બધો સામાન પહેલેથી ભરી લાવેલા છે.
તમને એવી જ દશા થઈ છે પણ આ જ્ઞાન રસ્તે જતા મળ્યું છે. એટલે બહાર ધૂળ ઊડી કે ધ્યાન ત્યાં ગયું, પણ એ જોવાનું નહીં. ધૂળ ઊડે, કાંકરા ઊડે, બધું ઊડે. પણ એ શેય છે અને આપણે જ્ઞાતા છીએ. આપણે જ્ઞાતાપદમાં બેસીને શેય જાણવાનું છે. જગત આખું ઊડે, માબાપ-દીકરા મરવા પડ્યા હોય ને ત્યાં શેય-જ્ઞાતાનો સંબંધ રાખીને રહે ત્યારે આ વિજ્ઞાન ઉત્પન્ન થાય. એ મરશે એ વ્યવસ્થિત ખરુંને !
પોતે જ્ઞાન સત્તામાત્ર છે. જ્ઞાતાસત્તામાં રહ્યા તો મુશ્કેલી ઊડી ગઈ. જેટલો પૂર્વનો અભ્યાસ અવળો હોયને એટલું અડે. તમારે આત્મજ્ઞાન થયું એ ઓછું કહેવાય ? વર્લ્ડમાં પૂજ્ય થયા એવું પદ પ્રાપ્ત થયું છે. બાકી તમારે આત્મા ખખડે જ છે. આત્મા લક્ષમાં બેઠો એ ખખડે જ છે. ખખડે એટલે ડબામાં ગોળો ઘાલીને ખખડાવીએ તો અવાજ આવે, એવું નહીં. એ અવાજવાળી વસ્તુ નથી.
એનું લક્ષ કોઈને એક ક્ષણ બેઠેલું ના હોય ને તમારે આ કાયમનું લક્ષ બેઠું. હવે લક્ષ કોઈ દહાડો ના ચૂકે એ જ વિજ્ઞાન છે.