________________
(૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
પ્રશ્નકર્તા : એમ જ્ઞેય નથી નડતા પણ આપણે જ્ઞેયોમાં જે આસક્તિ થાય છે તે નડે છે ?
૨૭
દાદાશ્રી : હા, બસ. એના ઉપર એને આકર્ષણ છે. એટલે આપણે રાગને શું કહીએ છીએ ? આસક્તિ.
જ્ઞાનની અવસ્થાઓ થાય તેય જ્ઞેયના આકારે, શેયાકાર થાય. કેરી જેવો આકાર થઈ જાય, માણસ આવતો હોય તેનો આકાર થઈ જાય, બધાના આકાર થઈ જાય. છતાંયે એ ચોંટે નહીં, છૂટી જાય. જગતમાં અશુદ્ઘ ઉપયોગ હોવાથી એમાં ચોંટી પડે.
તે જગત શું કહે છે કે આત્મા ચોંટ્યો, મૂઆ નથી ચોંટ્યો. ચોંટે એ આત્મા હોય અને આત્મા ચોંટે નહીં.
પ્રશ્નકર્તા : ચોંટે એ અહંકાર ?
દાદાશ્રી : અહંકાર. આપણે ચોખ્ખું જ કહ્યું છે ને !
જ્ઞાતમાં જોઈને બોલે દાદા, એ ક્યાંય તા જડે શાસ્ત્રોમાં
એટલે આ બધું અમે જોઈને બોલીએ છીએ. કેવડું મોટું બોલે છે, આ આખું જગત જોઈને ! એમાં તે અવસ્થામાં પાછો પરિણમતો હોઉ, એ કેરી દેખીને કેરી જેવો આકાર થઈ જઉ છું, છતાંય પણ હું તેમાં તન્મયાકાર થતો નથી, એકાકાર થતો નથી. જોવા છતાં લેપાયમાન થતો નથી. આ હું અહીં બેઠો છું ને મને જ્ઞેયમાં બધું દેખાય. તેથી કંઈ મને ચોંટે નહીં આ. એટલે જ્ઞેયને જાણવામાં પરિણમે તોય સંપૂર્ણ શુદ્ધ છું અને સંસારીઓને ચોંટે. એમને તો જો કંઈ જીભને સ્વાદ આવે એવું હોય તો મનમાં ઈચ્છા થાય, અગર તો બીજું હોય ત્યારે ગુસ્સો આવે.
હવે આ શાસ્ત્રોમાં ખોળવા જાય તો ક્યાં જડે ? હવે કેરીને જાણવા ફરે છે ! જાણવામાં પરિણમેલી એ અવસ્થામાં પણ (પોતે) શુદ્ધ જ છે. અશુદ્ધતા થતી નથી એને. તે જોવાથી શુદ્ધિ કંઈ તૂટી જતી નથી. શેયાકારમાં દશા પરિણમે પણ આ છૂટો ને છૂટો. કેટલી જબરજસ્ત શક્તિઓ ધરાવે છે !