________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ઉપયોગ રાખે કે શુદ્ધ ઉપયોગ કેવો વર્તે છે, એ કેવળજ્ઞાન કહેવાય. પહેલો શુદ્ધ ઉપયોગ કહેવાય ને ઉપયોગ ઉપયોગમાં એ કેવળજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : એ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય ?
૪૧૬
દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય. શુદ્ધ ઉપયોગની જે જાગૃતિ છે તેની ઉપરેય જાગૃતિ એ કેવળજ્ઞાનની જાગૃતિ છે, છેલ્લી જાગૃતિ છે. ‘જ્ઞાની’ની જાગૃતિ એ શુદ્ધ ઉપયોગ કહેવાય અને તેના ઉપરની જાગૃતિ એ કેવળજ્ઞાનનો ઉપયોગ કહેવાય. અમને જાગૃતિ ૫૨ની જાગૃતિ રહે, પણ જેવી તીર્થંકરની રહે એટલી બધી ના રહે.
પ્રશ્નકર્તા ઃ અંતઃકરણની ક્રિયામાં જે વખતે ઉપયોગ રહે છે, જ્ઞેયજ્ઞાતા સંબંધ રહે છે, તે વખતે પોતે જ્ઞાતા ને અંતઃકરણ જ્ઞેય રહે, એમાંય પાછું કેવળજ્ઞાનમાં ઉપયોગ રહે ?
દાદાશ્રી : આ જ્ઞેય-જ્ઞાતા સંબંધના ઉપયોગને પેલો ઉપયોગ ‘જાણે’ કે કેટલો ઉપયોગ કાચો પડ્યો, કેટલો પાકો થયો. તીર્થંકરોને શેય-જ્ઞાતા ઉપરેય ઉપયોગ હોય, ‘કેવળ’ બધું હોય.
પ્રશ્નકર્તા : એટલે કેવળજ્ઞાનમાં જ્ઞેયથી છૂટું પડી ગયું કહેવાય ?
દાદાશ્રી : કેવળજ્ઞાનમાં શેયથી છૂટું જ હોય. પણ શેય-જ્ઞાતાવાળા સંબંધમાં શેયની જોડે છૂટું નથી પડતું, એને સંબંધ રહ્યો છે અને સંબંધને જાણે છે કે આવો સંબંધ છે.
ઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહેજાસહેજ દેખાય.
સર્વાંશ વીતરાગતાએ, પ્રગટે સંપૂર્ણ કેવળજ્ઞાત
બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાશ નહીં.