________________
૪૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
શુદ્ધાત્મા અનુભવ થયો. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થયું, એ શબ્દરૂપ ભાન થયેલું છે અને જ્યારે નિરાલંબ થાય, ત્યારે તો કેવળજ્ઞાન કહેવાય
અમુક પુણ્યશાળીઓને જ સ્કોપ, થશે એ એકાવતારી
પ્રશ્નકર્તા : નિરાલંબ સ્થિતિ તો એબ્સોલ્યુટ થયા વગર પણ અનુભવ કરાયને ?
દાદાશ્રી : ના, એબ્સૉશૂટ થયા પછી જ નિરાલંબ થાય. એટલે એબ્સૉલ્યુટ શરૂ થયું ત્યાંથી તે સંપૂર્ણ એબ્સૉલ્યુટ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી એબ્સૉલ્યુટ સ્થિતિ છે. એબ્સૉલ્યુટની બિગિનિંગ છે અને એન્ડ પણ છે.
નિરાલંબ થવું તે જ કેવળજ્ઞાન જ થતું જવું. એક બાજુ નિરાવરણ અને નિરાલંબ બેઉ સાથે થતું જાય.
પ્રશ્નકર્તા ઃ હવે અક્રમમાં ક્રમ ન રહ્યો તો કેવળજ્ઞાનમાં પણ ક્રમ ન રહેવો જોઈએ, કેવળજ્ઞાન થવું જ જોઈએને ?
દાદાશ્રી : રહ્યો જ નથી પણ આ નિકાલ તો કરવો પડે ને, જે સંઘરેલો છે.
પ્રશ્નકર્તા ઃ ભગવાન મહાવીરને પણ આ બધું હતું ?
દાદાશ્રી : ના, પણ એમને ત્રણ અવતાર થયા પછી આ થાય, તેને બદલે આ તો એક અવતારી છે. અક્રમ એટલે એક અવતારી. કેવળજ્ઞાન થઈ જ ગયું છે. માની લો ને હવે ! પણ એનું શું કામ છે આપણે ? મોઢે બોલવું એ ગુનો છે. ના હોય તે વસ્તુ બોલવી એ ગુનો છે.
સાચી વસ્તુ હોયને, તેના અંતરાય પડેલા હોય એટલે આ સાચી વસ્તુ લોકોને કામ લાગે નહીં. આ તો અમુક જ માણસો, શાસ્ત્રમાં લખ્યું કે સાડા બાર હજાર માણસ એકાવતારી થશે. તે એટલા જ માણસોને માટે સ્કોપ છે. તે ચાર અબજની વસ્તી છે, બોલો !
પ્રશ્નકર્તા : કેટલા ? બાર હજાર માણસ ?