________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થકર ભગવાનની
૩૫૩
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાનીને આ સૂક્ષ્મ બૉડી (શરીર) દેખાય ? કોઝલ બૉડી (કારણ શરીર) દેખાય ?
દાદાશ્રી : હા, એમને સ્પષ્ટ દેખાય. પ્રશ્નકર્તા: આત્મા કરતા વધારે સ્પષ્ટ ? દાદાશ્રી : બધું દેખે.
પ્રશ્નકર્તા : આત્માને દેખી શકે ? આત્માને તો દેખી જ શકે જ નહીંને કેવળજ્ઞાનીઓ ?
દાદાશ્રી : દેખે નહીં, જાણી શકે. દેખવું એટલે પોતપોતાની ભાષામાં સમજે છે કે આંખે જેવું દેખાય એવું આમ સ્થળ આત્મા દેખાતો હશે.
પ્રશ્નકર્તા: આત્મા જાણી શકે અને કોઝલ બૉડી એ બધું દેખાય.
દાદાશ્રી : દેખી શકે. કારણ કે કોઝલ બૉડી રૂપી છે. રૂપી હોય એ દેખાય. અરૂપી તો ના દેખાય.
પરમાણુ, ચર્મચક્ષુથી અરૂપી પણ કેવળજ્ઞાતે રૂપી
મહાવીર ભગવાનને ત્રણ વસ્તુનું જ્ઞાન હતું; એક પરમાણુને જોઈ શકતા હતા, એક સમયને જોઈ શકતા હતા, એક પ્રદેશને જોઈ શકતા હતા.
આ રૂપી તત્ત્વમાં આ મોટી મોટી વસ્તુઓ દેખાય છે ઉઘાડી બધી, પણ અણુ સુધી શોધખોળ કરી આ લોકોએ. આ અણુ સુધી આ લોકો દેખી શક્યા. દૂરબીનથી, ગમે તેનાથી દેખી શક્યા, પણ અણુ એ છે તે કોમ્બિનેશન (જૂથ) છે, કમ્બાઈન્ડ સ્વરૂપ છે. પણ એનું મૂળ અસલ સ્વરૂપ, અચળ સ્વરૂપ પરમાણુ છે, જે સ્વતંત્ર છે બિલકુલ.
પ્રશ્નકર્તા: પરમાણુઓ ‘વિઝિબલ' (દશ્યમાન) છે ?
દાદાશ્રી : પરમાણુઓ કેવળજ્ઞાને કરીને વિઝિબલ છે. એ પરમાણુ આંખે દેખ્યું ના જાય, દૂરબીનથી કે બીજી કોઈ વસ્તુથી દેખ્યું ના જાય.
પરમાણુ દેખાય તો તમે જુદા કરી શકો ને ? બુદ્ધિથી, આંખથી ના