SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની ૩૫૧ પ્રશ્નકર્તા : એટલે એમાં ફેર શું, દેખાય નહીં અને જાણે ? દાદાશ્રી : ખાલી જાણે, કેવળજ્ઞાન જ જાણે એટલે આ દ્રવ્યનું આવું થાય, આવું થાય, આવું થાય, આવું થાય. પછી આમ થાય, આમ થાય, આમ થાય, એ બધું જાણે. દ્રવ્યના બધા પર્યાયોને જાણે. પ્રશ્નકર્તા : દાદા, એ તો પણ આવતી ચોવીસીના જે જે તીર્થંકરો થવાના છે, એ બધાના નામ હઉ, એમના બાપના નામ... દાદાશ્રી : એ તો પણ જેટલા શુદ્ધ થયેલા હોય તેમની વાતો કરે છે. શુદ્ધ થયેલા ના હોય તેમની વાત ના હોયને ! પ્રશ્નકર્તા ઃ એમના બાપના નામ, એમની માનું નામ, એમના ગામનું નામ, બધું લખ્યું છે શાસ્ત્રમાં. દાદાશ્રી : હા, પણ જે શુદ્ધ થયેલા હોય તેમની વાતો બધી કરી હતી. પ્રશ્નકર્તા : હા, એ તો અમુક ચોવીસના જ કહે છે ને ! એક જ ચોવીસીનું કહી શકે છે. પછી કંઈ બધી ચોવીસીઓનું નથી કહેતા. દાદાશ્રી : ના, એક જ ચોવીસીનું કહેવા માંગે છે. પ્રશ્નકર્તા : એટલે એટલું જ એમના શુદ્ધમાં આવેલું હોય ? દાદાશ્રી : જેટલા શુદ્ધ થયેલા હોય એટલાની જ ભાંજગડ. બીજાનું કયા આધારે દેખાય ? અશુદ્ધ થયેલું, અશુદ્ધ વસ્તુ દેખાતી હોય, જ્ઞાનીને અજ્ઞાન દેખાતું હોય તે જ્ઞાની જ ન્હોય. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનીને આવું બધું જોવાનું હોય જ નહીં. એ શું કરવા જુએ ? દાદાશ્રી : ના, પણ દેખાય જ નહીંને ! પ્રશ્નકર્તા : આવું શા માટે જુએ ? આમાં શું કરવા ઊતરે એ ? દાદાશ્રી : જુએ નહીં. ઉપયોગ તો ના દે પણ પેલો દેખાય જ નહીં, કારણ કે કેવળ પ્રકાશ અંધારાને જોઈ શકે જ નહીં.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy