________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જ્ઞાન-દર્શનમાં રહેવું, એનું નામ કેવળજ્ઞાન. આ છ તત્ત્વના દ્રવ્ય-ગુણપર્યાયને જાણવા એનું નામ કેવળજ્ઞાન.
વર્તમાતમાં રહી આત્મજ્ઞાતીતા પર્યાય જાણે
૩૫૦
કેવળજ્ઞાન થઈને વર્તમાનકાળને તો વર્તમાનકાળમાં જ રાખે. એ જાણે ફક્ત, આ પર્યાય હતો, આ ફલાણો થયો, શ્રેણિક રાજા આવા થશે, ફલાણા થશે. એના પછી આ પર્યાય થશે, પછી આ થશે. જેટલા પૂછે
એટલા જવાબ આપે.
આ કોઈ માણસ જો ભેગો થયો હોય ને તે જ્ઞાન લીધેલો હોય તો એનો અહંકાર કેવો છે એમ જોઈ લે. એના પર્યાય પરથી સમજી જાય કે આટલા અવતાર હજુ કરશે આ માણસ.
જેમ પેલા ઘડાના પર્યાય જુએ તેવી રીતે આ જીવના પર્યાય જુએ. એ દ્રવ્ય ઉપરથી સમજે કે આ દ્રવ્ય આટલે સુધી આવેલું છે. આ દ્રવ્ય આમ, આ બાજુ જ જશે. આ દ્રવ્ય આ બાજુ જશે, આ દ્રવ્ય તીર્થંકર થશે, એવું બધું દ્રવ્ય ઉપરથી સમજે. દ્રવ્યના પર્યાય ઉપરથી એની શું અવસ્થા છે ને એના ઉપરથી સમજી જાય.
પ્રશ્નકર્તા : જે સિદ્ધ ભગવંતો સિદ્ધમાં છે, સિદ્ધોનું જે જ્ઞાન-દર્શન છે એ તો આવુંય ના જુએને કે આનો આ ભવ થશે ?
દાદાશ્રી : એવું બહુ ઊંડું જોવાના જ નહીંને ! જે દેખાય એ જોવાના. એ બીજું ઊંડું જોવાના જ નહીં. ઊંડું તો વિચાર કરવો પડે.
પ્રશ્નકર્તા : હા, એટલે આ જે કેવળજ્ઞાનીઓ કે તીર્થંકરો જે જોઈને કહે, આનો આ ફલાણો ભઈ આનો આ ભવ થશે ને આમાં જશે, તો એટલું એમને ઊંડું ઊતરવું પડેને, દાદા ?
દાદાશ્રી : જ્ઞાનમાં પર્યાયો દેખાય તે જ પર્યાયો કહી આપે. તે દેખાતા નહીં, જાણેલા. દેખાય તો કશું જ નહીં. લોકો સમજે છે કે દેખે છે એ બધું.