________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રકારનો. કોઈ તીર્થંકરો બહુ આકર્ષક લાગે, કોઈ તીર્થંકરો... અરે ! કોઈ વાણી બોલે તો આમ સજ્જડ કરી નાખે તેવી રીતે બોલે. પણ બધું એક જ પ્રકારનું.
૩૪૪
દેશતા - તીર્થંકરને સંપૂર્ણ, જ્ઞાતીને અપૂર્ણ
પ્રશ્નકર્તા ઃ તીર્થંકરને દેશના હોય ને ?
દાદાશ્રી : તીર્થંકરને દેશના ખરી. કેવળીને દેશના હોય નહીં. દેશના અક્રમ વિજ્ઞાની એકલાને જ હોય અને તીર્થંકરોને દેશના હોય. અમારી આ દેશના જ ગણાય છે. અમારો ઉપદેશ ના કહેવાય. દેશના એટલે સહજ નીકળ નીકળ કર્યા કરે, સહેજે, ગોઠવણી-બોઠવણી નહીં. તે આ સહેજે નીકળ્યા કરે પણ આ આમાં ‘હું’ ‘તમે’ મને ખ્યાલ સાથે રહે છે. પેલામાં ખ્યાલ ના હોય, વીતરાગતા રહે. હા, એટલે આ કચાશ ક્યાં આગળ છે તે અમારું આ ઓપન કર્યું.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાની સ્વ-ઉપયોગમાં જ વર્તે, છતાં તેઓ દેશના આપતા હોય છે તો એને ‘૫૨-ઉપયોગ’ ના કહેવાય ?
દાદાશ્રી : ના. એ તો સ્વભાવિક નીકળ્યા કરે. ટેપરેકર્ડ નીકળ્યા કરે, પોતે કર્તા નથી. પોતે સ્વ-ઉપયોગમાં જ હોય. એટલે પર-ઉપયોગ કરવો જ ના પડે એમને. એટલે વાણી એની મેળે સહજ નીકળ્યા કરે.
સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, તે કહી શક્યા નહીં
પ્રશ્નકર્તા ઃ તીર્થંકર કેવળજ્ઞાન પછી બોલે તે બધી જ ટેપરેકર્ડ ? દાદાશ્રી : ટેપરેકર્ડ, ટેપરેકર્ડ !
પ્રશ્નકર્તા : એ બધી જ ટેપરેકર્ડ પણ એમને વર્તમાનમાં જે અનુભવમાં આવ્યું, એ તો પ્રકાશમાં આવે જ નહીંને ? એમના વર્તનમાં કે વાણીમાં ના આવેને ?
દાદાશ્રી : ના, જે કેવળજ્ઞાનનું છેને, તે ના આવે. કેવળજ્ઞાનના ઓછા અંશનું છે એ બધું આવે.