________________
(ઉ.૨)
કેવળદર્શનની વ્યાખ્યા તે પ્રસંગ
સાર તમામ શાસ્ત્રોતો, એક વાક્યમાં પ્રશ્નકર્તા : “હું કંઈ જ કરતો નથી” એ ખ્યાલ એ જ કેવળદર્શન ?
દાદાશ્રી : “આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, તે જગતને પોસાય યા ના પણ પોસાય છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર
ખ્યાલ રહેવો તે કેવળદર્શન છે.” અને “હું કરું છું' એવો નિરંતર ખ્યાલ રહે, એ મિથ્યા દર્શન છે.
પ્રશ્નકર્તા: ૧૯૬૮માં નીકળેલું આ સૂત્ર ?
દાદાશ્રી : આવાં વાક્યો કોક કોક દહાડો નીકળેલા છે અને પછી આખી લિંક થઈ આવી. પછી આખી માળા થઈ, નહીં તો માળા નહીં, છૂટા છૂટા મણકા નીકળેલા છે. એ રીતે આ બધા વાક્યો જુદા જુદા નીકળીને પછી ભેગા થઈ ગયેલા. આ જ્ઞાની પદ આવ્યા પછીની છેલ્લી સંજ્ઞા છે. એના આધારે આવા વાક્યો નીકળી જાય.
પ્રશ્નકર્તા: આમાં બધું આવી ગયું, સાર આવી ગયો ?
દાદાશ્રી : હા, બસ, બધો જ સાર આવી ગયો. આખા શાસ્ત્રનો, તમામ શાસ્ત્રોના સારરૂપે એ વાક્ય બોલ્યો હતો ! એ ભગવાનના આખા શાસ્ત્રનો સાર એક વાક્યમાં છે.
સારરૂપ જ્ઞાતસૂત્ર પ્રગટ્ય, બાથરૂમમાં
પ્રશ્નકર્તા ઃ આ જ્ઞાનસૂત્ર આપ નહાવા ગયા હતા પછી નીકળેલું તેની વાત કરોને !
દાદાશ્રી તે એક દિવસ હું નહાવા ગયો તો બાથરૂમમાં અને અહીં