________________
(૫.૨) જાતિસ્મરણજ્ઞાન
પણ જાતિસ્મરણજ્ઞાન ઘણાને થયેલું છે. તો એ મિથ્યાત્વીને પણ થાય અને સમકિતીને પણ થાય ?
૨૬૭
દાદાશ્રી : બધાને, મિથ્યાત્વીને પણ થાય.
પ્રશ્નકર્તા : પણ મિથ્યાત્વીને ક્રમે ક્રમે એનો બંધ પડી જાય, પાછો ભૂલી જાય, જ્યારે સમિકતીને એમને એમ સળંગ રહે.
દાદાશ્રી : એ એનો લાભ ઊઠાવે, સમિકતી લાભ ઊઠાવે. મિથ્યાત્વી લાભ ના ઊઠાવે. સમિકતી ઉપદેશ લે એમાંથી, કે આવું ગયા અવતારમાં ભોગવ્યું અને આવું ને આનું આ થયું અને હવે આ રીતે રહીશ. તે રીત ફેરવે અને પેલો મિથ્યાત્વીને એવું કશું નહીં.
જાતિસ્મરણ એ ગિફ્ટ કે પુરુષાર્થ ?
પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન પામ્યા પછી કોઈ દિવસ જાતિસ્મરણની શક્યતા ખરી ?
દાદાશ્રી : ના, એ તો કોઈને થાય અને કોઈને ના થાય.
પ્રશ્નકર્તા ઃ જાતિસ્મરણ માટે એવો પ્રયોગ બતાવ્યો છે કે મેમરીને ધીરે ધીરે રિસીવ બેક કરતા કરતા...
દાદાશ્રી : એ એવું છે ને, એ પ્રયોગ છે તે જેને ગિફટ હોય તેને જ એ ફિટ થાય, બીજા દરેકને ફિટ ના થાય એ. આ ગિફટ હોય છે એક જાતની. પૂર્વભવના હિસાબ અને પુણ્યના હિસાબે એ ગિફટ હોય છે. આપણે તો આ એની મેળે જ થઈ ગયું. અને છે ભાંજગડ કશીય ? કશીય
ભાંજગડ જ ના રહીને ! અને ઘડભાંજેય ના રહી.
અગત્યતા ‘આત્મજ્ઞાન'તી, તા જાતિસ્મરણતી
પ્રશ્નકર્તા ઃ અત્યારે આ કાળમાં જાતિસ્મરણજ્ઞાન કેમ થતું નથી ? પહેલા તો બહુ કૉમન હતું. ચોથા આરામાં, એ જમાનામાં દરેકને થઈ જતું.
દાદાશ્રી : હા, પણ થતું'તું તેને શું કરવાનું ? ના થાય એને કામનું