________________
(૫.૧) વિભંગજ્ઞાન
દાદાશ્રી : ના, ન્યુસન્સ ના કરે. એ ન્યુસન્સ વસ્તુ જુદી છે અને આ વિભંગીજ્ઞાન જુદું છે. વિભંગી હસતો હોય પાછો. આપણે ફસાતા જઈએ, એ હસતો હોય.
૨૫૯
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : મેં બધા બહુ જોયેલા એવા. હું હઉં પકડાઈ જઉં. આ જ્ઞાની છું તો પણ મને હઉ પકડી લે એ. કારણ કે એ વિભંગી છે. એને નાસી જવાની બધી ડિરેક્શનની છૂટ અને આપણને એક જ ડિરેક્શનમાં જવાની છૂટ. એને તો બધી જ ડિરેક્શન ખુલ્લી હોય. તમને સમજમાં આવી ગયુંને ?
પ્રશ્નકર્તા : હા, હા. એને કોઈ પ્રકારે રિસ્ટ્રીક્શન (નિયંત્રણ) છે જ નહીં.
દાદાશ્રી : નહીં, રિસ્ટ્રીક્શન એવું નહીં. એને કેમ કરીને સામા માણસને બાંધવો અને કેમ કરીને એની પાસેથી લાભ ઊઠાવવો એ જ હોય.
પ્રશ્નકર્તા : બસ, બસ, બિલકુલ બરાબર, દાદાજી.
દાદાશ્રી : એને હું ‘વિભંગી’ કહું છું. મેં હઉ એવા જોયેલા. એટલે હું ફરી ત્યાં જઉં જ નહીં કે આ વિભંગી માણસ છે, આપણું કામ નહીં ત્યાં આગળ. એ વિભંગજ્ઞાનીને વિભંગજ્ઞાની જ પહોંચી વળે, બીજો ના પહોંચી વળે.
ઊંધા રિવોલ્યુશન તે નર્યું કપટ જ
પ્રશ્નકર્તા : તો દાદા, એ કપટી ખરોને ? એનું મન કપટી ખરુંને ?
દાદાશ્રી : નર્યું કપટ જ, પણ હસી હસીને સરસ રીતે બધી વાત એવી મેલે, તે બોલે એવુંને, કે તમારા જેવા સીધાને તે પાંજરામાં ઘાલી દે. નહીં જોયેલા એવા ?
પ્રશ્નકર્તા : જોયેલા દાદા, વકીલો હોય એવા કે જ્યાં પાણી ના હોય