________________
(૪.૨) મન:પર્યવજ્ઞાન
ર૪પ
આ અક્રમ જ્ઞાને આપણને મન:પર્યવ જ્ઞાન થયું. તેથી તો કોઈ માટે અતિશય દ્વેષ હોય તો આપણે જાણીએ ને ત્યાં સીલ મારીએ. જ્યારે એ માણસ ફરી ભેગો થાય ત્યારે ભડકો થતો એની મેળે અટકી જાય. એ જ્ઞાન ના હોત તો તો તરત જ ભડકો થઈ જાય.
ખરા ત્રણ - શ્રત, મતિ તે કેવળ ખરા જ્ઞાન ત્રણ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન. અને મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન એ તો પૌદ્ગલિક જ્ઞાન છે. એ કેવળજ્ઞાન થતા પહેલા ઉત્પન્ન થાય છે, પણ એ શું કામનું? અને મેં જેટલાને જ્ઞાન આપ્યું છે ને એટલાને મન:પર્યવજ્ઞાન અંશે ઉત્પન્ન થયું છે.