________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
થવું એનું નામ કેવળજ્ઞાન. એવો નિયમ જ છે કે નવ્વાણું એ મતિ કહેવાય અને સોમું કેવળ કહેવાય. એટલે મતિજ્ઞાનનો સરવાળો પૂરો થાય એટલે કેવળજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા : મતિજ્ઞાન ને કેવળજ્ઞાનનો એ ભેદ બરોબર છે.
ઃ
દાદાશ્રી : એ તો મતિજ્ઞાનનું જ કેવળજ્ઞાન થાય છે છેલ્લે, પણ વાત સમજે તો ને !
૨૨૬
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરને આ મતિજ્ઞાનથી કેવળજ્ઞાન થયું હશેને ?
દાદાશ્રી : હા, મતિજ્ઞાનમાંથી કેવળજ્ઞાન. એમને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા, મતિ, શ્રુત ને અવિધ. સંસારનો વ્યવહાર છૂટ્યો, તરત ચોથું જ્ઞાન ઊભું થયું. મન:પર્યવ.
મતિજ્ઞાત એ ઉપાદાત જાગૃતિ
પ્રશ્નકર્તા : પેલી વાત બહુ સારી નીકળી'તી ઉપાદાન જાગૃતિની. ભ્રાંતિ છે કે અભ્રાંતિ છે એ સમજવા માટે બુદ્ધિની જરૂર તો ખરીને ? તો કહે કે ના, એ ઉપાદાન જાગૃતિથી સમજાય.
દાદાશ્રી : બુદ્ધિ એ જ ભ્રાંતિ.
પ્રશ્નકર્તા : આપે એવું કહ્યું કે બુદ્ધિથી જ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. દાદાશ્રી : સાચી વાત છે, ભ્રાંતિ બધી એનાથી જ ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા : એટલે ભ્રાંતિ અને અભ્રાંતિનો ભેદ પાડવા માટે બુદ્ધિ કામ જ ના લાગે ?
દાદાશ્રી : આ ઉપાદાન કામ લાગે.
પ્રશ્નકર્તા : એ આજે નવી વાત નીકળી, દાદા. આજે નવી રીતે કહ્યું આપે.
દાદાશ્રી : ના, હવે એ કહેલું જ હોય, પણ તે રીત ફેરફાર હોય.