________________
(૩) મતિજ્ઞાન
૨૨૭
પ્રશ્નકર્તા : ઉપાદાનનું કારણ ?
દાદાશ્રી : શ્રુતજ્ઞાન.
પ્રશ્નકર્તા : સુશ્રુત કહ્યું, કુશ્રુત નહીં.
દાદાશ્રી : હા. સાંભળેલું, કહેલું, વાંચેલું એ બધામાંથી જે સાર જડ્યો હોય તે ઉપાદાન. જે વખતે જે નિમિત્ત મળે ત્યારે એ ઉપાદાન પાછું વધ્યા કરે. એ શેના જેવું છે ? શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન, એમાં ઉપાદાન એ મતિજ્ઞાન છે, નિમિત્ત શ્રુતજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : નિમિત્ત શ્રુતજ્ઞાન કે...
દાદાશ્રી : એ તો આપણે દાખલો આપીએ છીએ કે ખરી રીતે આ નહીં, ખરી રીતે મેં સમજણ પાડી છે તે જ. શ્રુતજ્ઞાન ના હોય તો પેલું નિમિત્ત વધે નહીં. પછી ત્યાંથી જ્ઞાન વધે નહીં. એ શ્રુતજ્ઞાન જે સાંભળ્યું તે પોતાને પરિણામ પામે ને એ બીજાને કહે ત્યારે એનું મતિજ્ઞાન કહેવાય એનું એ જ. એવી રીતે છે આ. એટલે હંમેશાં શ્રુતજ્ઞાન હોવું જ જોઈએ.
પ્રશ્નકર્તા ઃ પણ આધ્યાત્મિક સંબંધનું ?
દાદાશ્રી : સુશ્રુત.
પ્રશ્નકર્તા : સુશ્રુત એટલે આ આત્મા સંબંધનું જ વાંચન હોવું જોઈએ એમ ?
દાદાશ્રી : આત્મા સન્મુખની વાતો, ધર્મ સંબંધી નહીં, આત્મા
સંબંધી.
પ્રશ્નકર્તા : પણ પછી સુશ્રુત એટલે કે શ્રુતજ્ઞાન છે એ પરિણામ પામે ત્યારે ઉપાદાન જાગૃતિ ઉત્પન્ન થાય કે મતિજ્ઞાન ?
દાદાશ્રી : મતિજ્ઞાન એ જ ઉપાદાન જાગૃતિ.
પ્રશ્નકર્તા : એ જ ઉપાદાન જાગૃતિ !
દાદાશ્રી : અને જે શક્તિ સ્ફુરણા થઈ તે ઉપાદાન બધું. એ જેટલી