________________
૧૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બીજું કશુંય નહીં. ચાર્જ કરેલું તો સારું પણ આ શંકા કરેલી ખોટું. એક ગાંઠ, નવી જ જાતની પડે.
પ્રશ્નકર્તા: એ શું કહ્યું, દાદા ?
દાદાશ્રી : આ તો અવળી સમજણની ગાંઠ પડે આખી. એટલે અવળી સમજણ ઊભી થાય. અસર થાય છે મડદાને અને પોતે સ્વીકારી લે એટલે પછી અવળું જ થઈ જાયને મહીં ! જ્ઞાન-દર્શન ઉપર આવરણ ફરી વળે.
ફાઈલોને જુએ “મડદારૂપ', તો ત રહે મમતા
પ્રશ્નકર્તા: જ્ઞાન લીધા પછી પણ મમતાનું પ્રમાણ તો એનું એ જ રહ્યું છે. જે ગાઢ મમતા હોયને, તે ગાઢ મમતાનું પ્રમાણ કેમ ઘટતું નથી?
દાદાશ્રી : એ ઘટાડવાનો પ્રયોગ તો કરવો જોઈએને ! મમતા શી રીતે વધી ? ત્યારે કહે છે, “મારું, મારું' કરીને વધી. હોય મારું' કરીને ઘટી જાય. એ સાયકોલોજી ઈફેક્ટ જ છે, બીજું કશું નથી. આ ગાઢ સાયકોલોજી ઈફેક્ટ છે, તે મમતા કહેવાય છે. “મારું-મારું કરીને મમતા ગાઢ થઈ ગઈ. “મારું ન્હોય' કહીએ એટલે ગાઢ ઊડી જાય. આમ વીંટીએ મારું, મારું' કહીને એટલે મમતા થઈ અને આમ ઉકેલીએ એટલે મમતા છૂટી જાય.
પ્રશ્નકર્તા: પણ ત્યાં બુદ્ધિ એવું બતાવે છે કે મમતા છોને રહી ! તે શું ખાવા માંગે છે આપણને ? કંઈ મારી નાખે છે ?
દાદાશ્રી : ના, મમતા હોય તો તો ઉપાધિ થાય બળી !
પ્રશ્નકર્તા ? તો તો હવે તો કુટુંબની મમતા નીકળી જવી જોઈએને ?
દાદાશ્રી : આ ઘડિયાળ છે તે “મારું હોય, મારું ન્હોય' એમ સો વખત બોલીએને, પછી ખોવાઈ જાય તો ચિંતા ના થાય કશું.
પ્રશ્નકર્તા: મને આ બધી ભૌતિક વસ્તુઓની મમતા નથી તે.