________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
એ ઈન્ડિરેક્ટ પ્રકાશ. એ ઉત્પન્ન થાય એટલે આ બધું ગતિમાન થઈ જાય. હવે ઈન્ડિરેક્ટ પ્રકાશથી આ ગતિમાન છે, આત્માથી ગતિમાન નથી આ. જ્યારે જગત શું માની બેઠું છે કે આત્માથી ગતિમાન છે.
પ્રશ્નકર્તા : ઈન્ડિરેક્ટ પ્રકાશથી જ ગતિમાન છે, સીધા પ્રકાશથી નહીં ?
૧૫૨
દાદાશ્રી : તો તો આત્મા જવાબદાર બનત. રિસ્પોન્સિબિલિટી
(જવાબદારી) જ એને માથે જાત. હવે આ લોકો એવું જાણે છે કે આ રિસ્પોન્સિબિલિટી જ આત્માની થઈ. કારણ કે એ એમ જ જાણે છે કે આનાથી જ આ છે.
પ્રશ્નકર્તા : હા, એ માને છે બધા.
દાદાશ્રી : આવી એટલી બધી ભૂલો થઈ છે કે આ કયે ગામ પહોંચે તે જ ઠેકાણું જ નથી હોતું.
ઈફેક્ટિવ ચેતન એ નિશ્ચેતન ચેતન
પ્રશ્નકર્તા : અમે તો એવું માનતા હતા કે ચેતન પ્રેરણાને કારણ જ પુદ્ગલ પ્રવર્તમાન છે ને ?
દાદાશ્રી : આ પુદ્ગલની પ્રવર્તના બધી છે એ બધું જ નિશ્ચેતન
ચેતન છે.
:
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિને કર્તૃત્વ શક્તિ કોણ આપે છે ? અંતે તો એ જડમાંથી જ થયેલી છે ને ?
દાદાશ્રી : ના, આ પ્રકૃતિ એ તદ્દન જડ નથી, એ નિશ્ચેતન ચેતન છે અને નિશ્ચેતન ચેતન એ કંઈ અચેતન નથી.
પ્રશ્નકર્તા : એને નિરંતર બદલાતી કહી શકાય ?
દાદાશ્રી : એ તો બદલાયા કરે છે પણ આ પ્રકૃતિ એ નિશ્ચેતન ચેતન છે.