________________ આજ્ઞા મુજબ તપ કરનારો વિનય-વૈયાવચ્ચવાળો હોય, સ્વાધ્યાય તો તેનો પ્રાણ હોય. ધ્યાન તો તેને સહજ હોય અને આ કાયાનો ત્યાગ કરતાં તો વાર નહિ. આવો તપ તે શુદ્ધ પરિણામરૂપ છે અને ઊંચી કોટિના શુદ્ધપરિણામનું કારણ છે. માટે આજ્ઞા મુજબના તપના આસેવન દ્વારા સાચી નિર્જરાના ભાગી બનો અને વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા. VVVVV. સમH Page 77 of 77