SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૪૨ ભા.સુ. ૧૩ મંગળવાર, ૧૬-૯-૮૬. લાલબાગ, મુંબઇ.] શાસ્ત્ર માવે છે કે-ધર્મની પ્રવૃત્તિ મોક્ષના અર્થીની જ સફ્ળ થાય, બીજાની નહિ. ધર્મની અવજ્ઞાનું, આજ્ઞાની અવજ્ઞાનું પાપ એટલું ભયંકર છે કે, સુંદર આરાધનાને પણ ઝેર બનાવે, બધા જીવોનો સંસાર પર્યાય કર્મથી ચાલે છે અને મોક્ષ પર્યાય કર્મ જાય ત્યારે થાય. કર્મને આધીન જીવો, કષાયો અને ઇન્દ્રિયોને આધીન હોય છે. કષાયને ન જીતે, ઇન્દ્રિયોને ન જીતે તો કામ થાય નહિ. ઇન્દ્રિયોને જીતવા મનશુદ્ધિ જોઇએ. તે પેદા ન થાય ત્યાં સુધી ઠેકાણું ન પડે. જેનામાં મનશુદ્ધિ ન હોય તે આત્મા ગમે તેટલી ધર્મક્રિયા કરે, ગમે તેટલું ભણે, ગમે તેટલો તપ કરે તો તે બધું રાખમાં ઘી નાખવા સમાન છે. શાસ્ત્ર આટલો બધો ભાર મનશુદ્ધિ ઉપર મૂક્યો છે. અનંતજ્ઞાનિઓ મનશુદ્ધિની આટલી બધી મહત્તા સમજાવે તો પણ આપણે મનમાં સંસારના સુખની જ લાલસા રાખીએ, તે મેળવવા જ ધર્મ કરીએ તો તે ધર્મ આપણું રક્ષણ ન કરી શકે. સુખ આપીને સંસારના જંગલમાં છોડી દે. સંસારના સુખની સામગ્રી તે જ મોટું જંગલ છે. તેમાં હિંસક જનાવરો ઘણા છે, બહાર નીકળવું કઠીન છે. તે જંગલમાં એવા અટવાઇએ, એવા પાયમાલ થઇએ કે, ત્યાં પણ સુખ નહિ ! બીજાના સુખથી સળગે તેને ગમે તેટલું સુખ હાય તોય સુખ લાગે ? ઘણા પાસે શ્રીમંતાઇ હોવા છતાંય બીજા પાસે અધિક સુખ છે તેનું દુઃખ છે. બીજાને માન મળે તો તેને આનંદ નહિ. આ આ નથી માનતો તેમ રીબાયા કરે. દુનિયાના સુખમાં પણ સુખી કોણ ? પોતાને જે સુખ મળ્યું તેમાં જેને સંતોષ હોય તે. બીજાનું સુખ જોઇ દુઃખી થાય તેને સુખી કોણ કરે ? કામ-ભોગાદિ એવા શત્રુઓ છે, જે જીવને સુખી રહેવા દે નહિ. દેવો છેલ્લાં છ મહિના જે દુઃખ ભોગવે છે, તો છઠ્ઠીનું ધાવણ નીકળી જાય છે. જે સુખ ભોગવ્યું તે બધું ધૂળ કરે છે. મિથ્યાદ્રષ્ટિ અને સંસારના સુખના ભુખ્યા જીવોને ગમે ત્યાં મોકલો તે સુખી નહિ. તમે કલ્પના કરો કે, વર્તમાનમાં જે શ્રીમંત છે તેમાંસુખી કેટલા ? જેને ઇન્દ્રિયો જીતવી હશે, કષાયો જીતવા હશે તેને મનની શુદ્ધિ મેળવવી પડે. મનની શુદ્ધિ ન હોય તે ગમે તેટલી ધર્મપ્રવૃત્તિ કરે, તે ધર્મપ્રવૃત્તિ તેને સુખ આપે તેવો નિયમ નહિ. કદાચ સુખ મળે તોય રિબાઇ રિબાઇને મરે અને દુર્ગતિમાં જાય. આ સંસારનું સુખ મારકણું છે, મોક્ષનું સુખ જ મેળવવા લાયક છે. મોક્ષનું સુખ મેળવવા ભગવાનની આજ્ઞા પળાય તેને આત્મિક સુખનો અનુભવ થાય. જે આત્મિક સુખમાં રમે મોક્ષસુખને પામે. સંસારમાં જે રમે તેને આત્મિક સુખનો તો અનુભવ જ નથી. સંતોષી ગરીબ હોય તો ય સુખી. અસંતોષી શ્રીમંત હોય તોય દુઃખી ! સુખની સામગ્રી જેટલા જેટલાને મળે તે બધા સુખી જ હોય તેમ માનતા નહિ, નહિ તો તમે તેને જોયા જ કરશો. પછી તમને દેવ, ગુરુ અને ધર્મ જોવો નહિ ગમે, કેમકે, સુખી જેવા થવું છે. સંસારનું સુખ અને તે સામગ્રી સારી Page 67 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy