________________
શ્રી જૈનશાસનમાં તપ મહત્ત્વનો છે, ઊંચી કોટિનો છે, નિર્જરાનું કારણ છે, મોક્ષનું પરમ સાધન છે. ભગવાનની આજ્ઞા મુજબ જે કરે તે ભાગ્યશાળી છે, તેના વખાણ કરાય. તો શક્તિ મજબ તપ કરતા થાવ તો કલ્યાણ થાય. તો ભગવાનના શાસનના તપના સ્વરૂપને સમજી શક્તિ મુજબ કરી, વહેલામાં વહેલા સૌ સંપૂર્ણ નિર્જરા સાધી પરમપદને પામો તે જ એક શુભાભિલાષા.
Page 66 of 77