________________
[૨૦૩૯ દ્વિતીય ફાગણ સુદ-૩ ગુરુવાર, તા. ૧૭-૩-૮૩. દશાપોરવાડ જૈન સોસાયટી, પાલડી, અમદાવાદ.].
यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हृतिः ।
सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ આવી સુંદર ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યજન્મ જે આપણને મળ્યો છે તેની અનંતજ્ઞાનીઓએ ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. આવા મનુષ્ય જન્મની દુર્લભતા શાએ દશ દશ દ્રષ્ટાંતોથી વર્ણવી છે. આવી સુંદર સામગ્રી યુક્ત મનુષ્યજન્મ પામેલ જીવ સંસારનો રસિયો હોય તે ચાલે ? મોક્ષનો અર્થી ન હોય તે બને ? રોજ સાંભળે કે- ‘આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે તે માટે સાધુ જ થવા જેવું છે. તો સાધુપણું પામવાની ઉત્કૃષ્ટ ઇચ્છા ન હોય તે બનવા જોગ છે? આજે બધા આવા તપના-વર્ધમાન તપની સોમી ઓળીના પારણાના-પ્રસંગે ભેગા થયા છો. જેને મોક્ષે જ જવું
Page 58 of 77