SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૩૭ કારતક સુદિ-૨ રવિવાર, તા. ૯-૧૧-૮૦ રાજકોટ.] અનંત ઉપકારી શ્રી વીતરાગદેવના શાસનનું તપ એ કર્મોના નાશ માટેનો અદ્ભુત ઉપાય છે. શાએ કહ્યું છે કે, બધી ઇન્દ્રિયોમાં રસના ઇન્દ્રિયને જીતવી કઠીન છે. તેના માટે જ આ તપ છે. જો રસના ઇન્દ્રિય જીવને આધીન ન થાય તો બાકીની ઇન્દ્રિયો પણ જીવને આધીન ન થાય. તે જીવ ગમે તેટલો તપ કરે તો પણ ઇન્દ્રિયો તેને આધીન ન રહે પરન્તુ વધુ બહેકી ઊઠે. માટે જ અનાદિની વિષયોની વાસનાને મારવા માટે, ઇન્દ્રિયોને કાબૂમાં લેવા માટે ભગવાનના શાસનમાં ક્રમાવેલ નાનામાં નાનો પણ જો તપ કરવામાં આવે તો તે કલ્યાણનું કારણ બને છે. પરંતુ જો આ હેતુ ના હોય તો તે જ તપ નુક્શાનકારક બને છે. છ પ્રકારના બાહ્યતાપમાં પ્રથમ અનશન છે, બીજું ઉણોદરી છે, ત્રીજું વૃત્તિસંક્ષેપ છે, ચોથું રસત્યાગ નામનો તપ છે. જો આ ચાર તપ ન આવે તો શરીરની મમતા પણ ઉતરે નહિ, તે ન ઉતરે એટલે કાયકલેશ નામનું તપ ન આવે, તે તપ ન આવે તો ઇન્દ્રિયોની, કષાયની સંલીનતા પણ ન આવે, આ છ યે તપ ન આવે તો સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની પણ પ્રાપ્તિ ન થાય. આ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ ન થાય તો સાચો તપ પણ ન થાય, જોઇએ તેવી નિર્જરા પણ સધાય નહિ અને જીવની મુક્તિ પણ થાય નહિ. મુક્તિની પ્રાપ્તિ માટે અનાદિની વાસના મરે, કષાયો મરે તોજ જીવ મોક્ષમાં પહોંચે. સૌ કોઇ આવી ભાવના પૂર્વક તપ કરે અને વહેલામાં વહેલા મોક્ષે પહોંચે તે જ શુભાભિલાષા. અ ા ા ા ા £€££s Page 57 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy