SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૩૬ ભાદરવા વદિ ૨૩ શુક્રવાર, તા. ૨૬-૯-૮૦. રાજકોટ.] यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हृतिः । सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ આજ સુધીમાં અનંતા થઇ ગયા, વર્તમાનમાં વીશા વિચરે છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. દરેકે દરેક શ્રી અરિહંત પરમાત્માઓનાં શાસનમાં કર્મની નિર્જરા માટે તપનું મહત્વ ઘણું ઘણું ગાવામાં આવ્યું છે. પરન્તુ તે તપ શુદ્ધ કોટિનો ક્યારે બને તે અંગે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા, જ્ઞાનસારમાં તપાષ્ટકમાં ક્રમાવી રહ્યા છે કે, જે તપમાં “બ્રહ્મ' આત્માની રમણતા હોય. એટલે કે જે જીવની જગતના પૌગલિક ભાવોની ભાવના નાશ ન પામે, તે પ્રત્યે તિરસ્કાર ભાવ પેદા ન થાય તો આત્મભાવમાં રમણતા આવવી દુષ્કર છે. પરન્તુ જે જીવો ભગવાનની આજ્ઞા મુજબ શુદ્ધ ભાવે તપ કરે છે તેમની પૌગલિક ભાવના મર્યા વિના અને આત્મરમણતા પેદા થયા વિના રહેતી નથી. આ ભાવના પેદા કરવા માટે અનાદિ કાળથી. આત્માને સંસારમાં રખડાવનાર ક્રોધ-માન-માયા-લોભ રૂપ જે કષાયો, કે જે રાગ-દ્વેષના દિકરા છે. તે રાગ-દ્વેષ મોહના દિકરા છે તેને આખા સંસારને એવો પાગલ બનાવ્યો છે કે, ભાગ્યે જ કોઇ જીવ બચ્યો હોય. પરન્તુ જે જીવો આવા તપને પામે છે, આત્મ રમણતામાં લીન બને છે, તેના કષાયો નાશ થયા વિના રહેતા નથી. જેમ જેમ જીવનો તપ વધે તેમ તેમ તેના કષાયો નાશ પામે છે અને Page 53 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy