________________
ભાવના હોત તો બધા જ ધીમે ધીમે તપમાં આગળ વધે અને તે પણ આવા તપસ્વી બને.
આપણે આવા તપની અનુમોદનાર્થે ભેગા થયા છીએ. તો આ વાત સમજી, બાહ્યતપનું આસેવન કરી, અત્યંતર તપ-મોક્ષ પામવાનું અને સંસાર છોડવાનું લક્ષ કરી; તેના સાધન સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્ર છે – તેને પામવાનો પુરૂષાર્થ કરે તો આ સંસાર તેને માટે સાગર નથી પણ ખાબોચિયું છે. તેના લંઘવામાં ખામી આવે નહિ અને મુક્તિપદનો સ્વામી બને. સૌ બાહ્યતાનો મહિમા સમજી તેના આસેવન દ્વારા અત્યંતર તપને પામી વહેલામાં વહેલાં પરમપદને પામો એ જ શુભેચ્છા.
[૨૦૩૪, ભાદરવા સુદિ-૧ ને રવિવાર, તા. ૨-૯-૭૮. દશા પોરવાડ સોસા.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ ભવ્ય જીવોના નિતાર માટે અનેક પ્રકારનો ધર્મ ઉપદેશ્યો છે. તેમાં માવેલો આ તપધર્મ એવો ઉચ્ચકોટિનો ધર્મ છે કે, જેને એ તપધર્મની સુંદરમાં સુંદર પ્રકારે આરાધના કરતાં આવડી જાય તો તે જરૂર થોડા જ વખતમાં આ સંસારથી. વિસ્તાર પામી પરમપદને પામી શકે છે. તેમાં બાહ્યતપ પણ એટલા માટે મહિમાવંતો છે કે, તે
Page 36 of 77