SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અનતાનુબંધિ આદિ રૂપે બને છે. છે. નોષાય પ્રકૃતિઓનું વર્ણન કષાયોને ઉત્તેજિત કરે, કષાયોને પ્રેરિત કરે એટલે પ્રેરણા કરે તે નોકષાય મોહનીય કર્મ વ્હેવાય આ કર્મનાં ભેદો જીવને નિમિત્ત મલે અથવા નિમિત્ત ન પણ મલે તો પણ તે પેદા થયા કરે એવા પ્રકારના હોય છે આથી ચાર નિમિત્ત વગેરેથી પેદા થાય છે. (૧) દ્રષ્ટિથી = જોવાથી (૨) શ્રવણ = સાંભળવાથી (૩) બોલવાથી અને (૪) સ્મરણ કરવાથી પેદા થાય છે. આ ચારમાં પહેલા ત્રણ કારણો બાહ્ય રૂપે ગણાય છે. જ્યારે ચોથું કારણ અંતરનું ગણાય છે. (૧) દ્રષ્ટિથી = જોવાથી (દર્શન) કોઇપણ પદાર્થનું દર્શન કરતાં કરતાં અંતરમાં હાસ્યાદિ ભાવો પેદા થતાં પોતાના શરીરના મુખ આદિમાં વિસ્તૃત રૂપે ણાય તે દર્શનથી ઉત્પન્ન થયેલ ગણાય છે. આ હાસ્યાદિ છએ માંથી કોઇપણ પેદા થઇ શકે છે. (૨) શ્રવણ = સાંભળવાથી. કોઇપણ પદાર્થો માટે શ્રવણનાં શબ્દો સાંભળતા સાંભળતા હાસ્યાદિ પેદા થાય, વૃધ્ધિ પામે એવી વિકૃતિ શરીરમાં જે પેદા થાય તે શ્રવણથી ઉત્પત્તિ ગણાય છે. (૩) બોલવાથી એટલે વચનથી. એવા પ્રકારના વચનો બોલાય કે જેના પ્રતાપે પોતાને કે બીજાને અંતરમાં હાસ્યાદિ ભાવો વિકૃતિ રૂપે પેદા થાય તે વચનથી હાસ્યાદિની ઉત્પત્તિ ગણાય છે. (૪) સ્મરણથી. વર્તમાનમાં કોઇ ત્રણમાંથી નિમિત્ત નથી છતાં એકાંતમાં બેસી સ્મરણ કરે. ભૂતકાળની વાતોને યાદ કરી કરીને વિચારણા કરે એનાથી શરીરમાં જેવિકૃતિઓ પેદા થાય તે સ્મરણથી હાસ્યાદિ નોકષાયની ઉત્પત્તિ વ્હેલી છે. જીવનમાં આ ચારેયમાંથી કોઇપણ પ્રકારે ઉત્પત્તિ ચાલુ જ છે. (૧) હાસ્ય મોહનીય :- હાસ્યોત્પાદક કર્મ હાસ્ય મોહનીયમ્। હાસ્યને ઉત્પન્ન કરનાર કર્મ હાસ્ય મોહનીય કહેવાય. (૨)રાંત મોહનીય :- પદાર્થ વિષયક પ્રીત્ય સાધારણ કારણ કર્મ રતિ મોહનીયમ્ I પદાર્થ વિષયની પ્રીતિનું અસાધારણ કારણ ર્મ રતિ મોહનીય કહેવાય છે. (3) પદાર્થ વિષયકોદ્રેમ કારણું કર્મ અતિ મોહનીયમ્ । પદાર્થ વિષયના ઉદ્વેગનું કારણ કર્મ અરતિ મોહ્નીય કહેવાય છે. (૪) શોક મોહનીય - અભીષ્ટ નિયોમાદિ દુ:ખ હેતુ: કર્મ શોક I મોહનીયમ્ અભીષ્ટના વિયોગ આદિના દુ:ખનો હેતુ કર્મ એટલે ઇચ્છિત અનુકૂળ પદાર્થોનો વિયોગ ન થાવ અને વિયોગ થવાનું જાણવા મળતાં અંતરમાં જે વિહવળતા પેદા થતાં થતાં અત્યંત દુ:ખ થાય તે શોક મોહનીય. (૫) ભોપાલ સાધારણ કારણે કર્મ ભય મોહનીયમ્ । ભયને ઉત્પન્ન કરનાર અસાધારણ કારણ કર્મ ભય મોહનીય વ્હેવાય છે. બીભત્સ પ્રદાર્થાવલોકન જાતવ્યલીક પ્રયોજક કર્મ જુગુપ્સા (૬) જુગુપ્સા મોહનીયમ્ । બીભીત્ય પદાર્થના અવલોક્નથી ઉત્પન્ન થનાર દુર્ગચ્છાને પ્રેરનાર કર્મ જુગુપ્સા મોહનીય છે. Page 91 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy