________________
માત્રનાં સર્વ પરમાણુઓને ઔદારિદ્વૈક્રિય-તૈક્સ-ભાષા-શ્વાસોશ્વાસ-મન અને કર્મણ આ સાતે વર્ગણારૂપે-આડી અવળી કોઇ પણ વર્ગણા રૂપે પરિણાવી પરિણાવીને છોડે તેમાં જેટલો કાળ જાય તે કાળને બાદર દ્રવ્ય પુદગલ પરાવર્ત કહેવાય છે અને તે સઘળાય પરમાણુઓને ઔદારિક આદિ ૭ માં કોઇ પણ એક વર્ગણારૂપે પરિણમાવીને છોડે તે કાળને સુક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત કહેવાય છે. અનંતા કાળચક્રે ૧ કર્મણ પુદગલ પરાવર્ત થાય છે તેનાથી અનંતગુણા અનંતગણા કાળચક્રે ક્રમસર તૈક્સ-ઔદારિક-શ્વાસોશ્વાસ-મન-ભાષા અને વૈક્રિય આ સાત વર્ગણાના સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્તો જાણવા. હોત્ર પુલ પરાવર્તનું વર્ણન
કોઇ પણ જીવ ૧૪ રાજલોકનાં સર્વ આકાશ પ્રદેશોને મરણ વડે ક્રમસર કે ક્રમરહિત સ્પર્શ કરી પૂરા કરે તેમાં જે કાળ લાગે તે કાળને બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્ત કહેવાય છે અને ક્રમસર મરણ વડે સ્પર્શ કરીને એટલે કે મરણ પામતાં જે આકાશ પ્રદેશ ઉપર રહેલ છે. તેમાંથી એક આકાશ પ્રદેશને વિવક્ષિત કરીને શરૂ કરે ત્યાર પછી બીજા આકાશ પ્રદેશે મરણ ત્યારપછી ત્રીજા આકાશ પ્રદેશને અવગાહીને મરણ થાય ત્યાર પછી ૪થા એક ક્રમસર શ્રેણી અનુસાર એક એક પ્રદેશ મરણ વડે સ્પર્શીને ૧૪ રાજલોક્નાં સઘળાંય આકાશ પ્રદેશો ક્રમસર મરણ સ્પર્શ વડે પૂરા કરે તે કાળને સુક્ષ્મક્ષેત્ર પુદગલ પરાવર્ત કહેવાય
કાળ પુલ પરાવર્તનું સ્વરૂપ
કોઇ પણ જીવ ઉત્સર્પિણી-અવસર્પિણીના એટલે એક કાળચક્રના સમયોને ક્રમસર કે કમરષિ મરણ પામવા વડે તે પુરા કરે તે કાળને બાદ કાળ પુદગલ પરાવર્ત કહેવાય છે અને ક્રમસર એક સમય પછીના બીજા સમયે પછી ત્રીજા, ચોથા એમ ક્રમસર મરણ વડે કાળચક્રના સમયોને પુરાં કરે આ પ્રમાણે ક્રમસર સમયે સમયે મરણ પામીને એક કાળચના સર્વ સમયોને મરણ પામવા વડે કરીને પૂર્ણ કરે તે કાળને સુક્ષ્મકાળ પુદગલ પરાવર્ત કહેવાય છે. લાવ હાલ પાવન સ્વરૂu_
કોઇ પણ જીવ રસબંધના સઘળાંય અધ્યવસાય સ્થાનકોને ક્રમસર કે ક્રમવગર મરણ વડે પૂરા કરે તે કાળને બાદર ભાવ ૫ગલ પરાવર્ત કહેવાય છે. અને ક્રમસર રસબંધના સર્વ અધ્યવસાયોને મરણ પામવા વડે પૂરા કરે એટલે કે જઘન્ય કષાયનાં ઉદયથી ઉત્પન્ન થયેલ અધ્યવસાય સ્થાને મરણ પામે ત્યાર પછી તે પછીના સ્થાને જ્યારે મરણ થાય તે ગણાય ત્યાર પછી જ્યારે ત્રીજા સ્થાને મરણ થાય તેમ ક્રમસર મરણ વડે સઘળાંય રસબંધના અધ્યવસાયોને પુરા કરે તે કાળને સુક્ષ્મ ભાવ પુદગલ પરાવર્ત કહેવાય છે.
કાળદ્રવ્યને આશ્રયીને સંસારમાં રહેલાં જીવો સાંસારિક સુખનાં પદાર્થોની ઇચ્છા અને ભોગવટાના કારણે કેટલું દુ:ખ ઉપાર્જન કરે છે. તેનું વર્ણન દા.ત. બ્રહ્મદત્તચક્રવર્તીનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું જીવનનાં અંતસુધી ભોગોનો ત્યાગ ન કરી શકયા. મહાઆરંભ અને મહાપરિગ્રહમાં ડુબી ગયાં. તેથી ૭મી નરકમાં ગયાં ત્યાં ૩૩ સાગરોપમનાં આયુષ્યવાળા નારકી થયાં. ૭૦૦ વર્ષનાં સંસારસુખના પરિણામે ૩૩ સાગરોપમ સુધી ભારે દુ:ખમાં હેરાન થવું પડ્યું.
તેત્રીશ સાગરોપમના ત્રણસો ત્રીશ કોટાકોટી પલ્યોપમ થાય (૩૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) તેને ૭૦૦થી ભાગવાથી (૪૭૧૪૨૮૫૭૧૪૨૮૫૭) પલ્યોપમનું દુ:ખ એક વરસનું થાય. તેને ૩૬૦ થી
Page 50 of 325