SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નીવિનમરણોપરાક્ષ સંસારિખ: ૨bસ્થા: ૨૦૭II ભાવાર્થ :- સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતપ એ સર્વ પુદગલસ્કંધો સંસારી જીવોને કર્મ, શરીર, મન, વાચેષ્ટા તથા ઉચ્છવાસ દ્વારા દુ:ખ સુખ દેનારા અને જન્મમરણમાં સહાય કરનારા થાય છે. વિવેચન :- પુદગલો સંસારી જીવોને સ્કંધપણે અનેક પ્રકારે ઉપકારક થાય છે, પરમાણપણે તે કાંઇ પણ કરી શકતા નથી. હવે તેના ઉપકાર ગણાવે છે- સ્પર્શ, વર્ણ, રસ ને ગંધ એ પુદગલ દ્રવ્યના ઉપકાર છે, શબ્દપરિણામ પણ પુદ્ગલ દ્રવ્યનોજ ઉપકાર છે, કર્મયુગલનો આત્મપ્રદેશોની સાથે ક્ષીર નીરની જેવો એકલોલી ભાવ થાય છે તે પણ પુગલ દ્રવ્યનોજ ઉપકાર છે, અનંતપ્રદેશી સ્કંધ જે સુક્ષ્મ પરિણામને પામે છે તે પુદગલનોજ ઉપકાર છે તેમજ તે સ્કંધો અભ્રને ઇંદ્રધનુષ્યાદિમાં સ્થળપણે પરિણમે છે તે પણ પુદગલનોજ ઉપાર છે, ચરિંસાદિ સંસ્થાન (આકૃતિ) જે થાય છે તે પુદગલનો ઉપકાર છે, ખંડરૂપ ભેદ થાય છે તે પણ પુદગલનું પરિણામ છે, અંધકાર, છાયા, ચંદ્ર, તારા વિગેરેનો ઉદ્યોત અને સૂર્યાદિજ્જો આપ એ સર્વ યુગલનાજ પરિણામ છે, જ્ઞાનાવરણાદિ કર્મ તે પુદગલનોજ ઉપકાર છે, ઔદારિકાદિ શરીર, મન, વચન ને કાયા તેની ચેષ્ટા (ક્રિયા),શ્વાસોચ્છવાસ એ સર્વ પુદગલનાજ પરિણામ છે. દુ:ખને સુખ પણ પુગલજાનત જ છે. જીવિતને ઉપગ્રહ કરનારા દુધ, ઘી વિગેરે અને મરણને ઉપગ્રહ કરનારા વિષ, ગરલ વિગેરે તે સર્વ પુદગલનાજ ઉપકાર (પરિણામ) છે. અહીં ઉપકાર, પરિણામ, સ્વભાવ એાર્થવાચી સમજવા. એટલે ઉપર બતાવેલા બધા વાનાં પુદગલ સ્કંધો વડેજ થાય છે. તે તેનોજ સ્વભાવ છે. તેમાંના કેટલાક ભાવ જીવના સાથે ભળવાથી થાય છે અને કેટલાક સ્વાભાવિક થાય છે; પરંતુ જીવના ભળવાથી જ થાય છે તે પણ સ્વભાવ કે પરિણામ તો પુગલ સ્કંધોનો સમજ્યો. હવે કાળ અને જીવદ્રવ્યના ઉપકાર બતાવે છે परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षण: काल: | - સભ્યતવાનિવરિત્રવીર્યશિક્ષાગુ બીવા: ||૧૮ll ભાવાર્થ :- પરિણામવર્ણના રૂપ અને પરાપરત્વ ગુણવાળું કાળ દ્રવ્ય છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય શિક્ષા ગુણવાળા જીવો છે. વિવેચન :- વૃક્ષાદિના અંકુર વધે છે, ઘટે છે, ક્ષય પામે છે એ કાળજનિત ઉપકાર છે. આ વર્તે છે, આ નથી વર્તતું એ પણ કાળને અપેક્ષીને જ કહેવાય છે તેથી તે પણ કાળકૃત ઉપકાર છે. પાંચ વર્ષથી દશ વર્ષ પર છે અને પચાસ વર્ષથી પચીશ વર્ષ અપર છે, આમ પરત્વાપરત્વ પણ કાળકૃતજ છે. અર્થાત્ તેને અપેક્ષીને જ કહેવાય છે. આ પ્રમાણે પરિણામ, વર્તન અને પરાપરત્વ વડે કાળદ્રવ્ય જાણી ઓળખી શકાય છે. જીવદ્રવ્ય શું શું ઉપકાર કરે છે ? ઉત્તર- તત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ઉત્પન્ન કરે છે, શ્રતાદિ જ્ઞાન ઉપજાવે છે, ક્રિયાનુષ્ઠાનરૂપ ચારિત્રનો ઉપદેશ કરે છે અને શકિતવિશેષ જ વીર્ય તેને દખાડે છે, લિપિ-અક્ષરાદિ સંવિજ્ઞાન ઉત્પન્ન કરે છે. આ બધા જીવકૃત ઉપકાર છે. પાપ ને પ્રશ્ય તત્ત્વાર્થસૂત્રમાં આવે છે- વાયવમન:વર્મયોગ: | સ 38ાસ્ત્રવ: શુમ: પુષ્કરચ | 31શમ: પાપચ I એટલે મન, વાણી ને કર્મની ક્રિયા તે યોગ છે, તે આશ્રવ છે, શુભ મન, વાણી ને કર્મની ક્રિયાથી પુણ્ય બંધાય છે અશુભ મન, વાણી ને કર્મની ક્રિયાથી પાપ બંધાય છે. પણ આ યોગ શુભ Page 39 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy