________________
હોય.
એકેન્દ્રિય જીવોને વિષે પ્રયન વર્ણન
કોઇપણ સ્થાનેથી જીવ મરણ પામીને એકેન્દ્રિયપણા રૂપે ઉત્પન્ન થવાનો હોય તો મરણ થતાની સાથે જ તે જીવને તિર્યંચાયષ્ય ઉદયમાં આવે છે અને તેની સાથે એકેન્દ્રિય જાતિ નામકર્મ ઉદયમાં આવે છે તે જીવ જ્યાં જ સ્થાને ઉત્પન્ન થાય ત્યાં જે આહારના પુદગલો હોય તે કાર્મણ શરીરથી ગ્રહણ કરે છે અને ગ્રહણ કરતાની સાથે જ ખેલ અને રસ રૂપે પરિણામ પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ એક સમયનો હોય છે.
આહાર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરતાં કરતાં અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી રસવાળા પુદગલોને એકઠાં કરી એટલે સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શકિત પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ હેવાય. આ પર્યાપ્તિ એક અંતર્મુહુર્તની હોય છે. આ અંતર્મુહુર્ત અસંખ્યાત સમયવાનું જાણવું.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરતાં રસવાળા પુદગલો જેટલા એકઠા થાય તેનાથી ઇન્દ્રિય બનાવવાની શકિત પેદા કરે છે એટલે એક સ્પર્શેન્દ્રિય બનાવવાની શકિત પેદા કરે છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમયવાળી એક અંતર્મુહૂર્તની હોય
ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ સમયે સમય આહારને ગ્રહણ કરી રસ રૂપે પરિણમન કરતાં અસંખ્યાત સમય સુધી ક્રિયા કરે છે અને તેમાંથી રસવાળા પુદગલોથી જે શકિત પેદા થાય છે તેનાથી ગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ: શ્વાસ રૂપે છોડવાની શકિત પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે આ જીવો ચાર પર્યાદ્ધિઓ કરે છે. જે જીવોનું આયુષ્ય વધારે હોય તે જીવો આહારના પુદગલોને ગ્રહણ કરતા કરતા રસવાળા પુગલોને બનાવતો સંગ્રહ કરતા દરેક પર્યાપિને સરખે ભાગે આપતા પોતાનું જીવન જીવે છે અને આયુષ્ય નામના પ્રાણને પણ પુષ્ટ કરતા જાય છે.
જે અકેન્દ્રિય જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ ર્યા બાદ પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા પરભવનું આયુષ્ય બાંધીને મરણ પામે છે પણ આ જીવો ચોથી પર્યામિ પૂર્ણ કરતાં નથી.
વિક્લેન્દ્રિય અને અસક્ષી પંચેન્દ્રિય
જીવોને વિષે પર્યામિઓનું વર્ણન આ જીવોને પાંચ પર્યામિઓ હોય છે તે આ રીતે. કોઇપણ સ્થાનેથી જીવો મરણ પામી એટલે ભોગવાતા ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બેઇન્દ્રિયાદિપણાના આયુષ્યના ઉદયને પામે છે તે જ ક્ષેત્રમાં એ આયુષ્ય ભોગવવાનું હોય તે સ્થાનમાં-તે ક્ષેત્રમાં જાય છે ત્યાં જે પુગલોનો આહાર મલે તે પુગલોનો આહાર ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમન પમાડે છે તે આહાર પર્યામિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ એક સમયનો હોય છે.
આ રીતે આહારને સમયે સમયે ગ્રહણ કરતો પરિણામ પમાડતો અસંખ્યાત સમય સુધી પ્રયત્ન વિશેષ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શકિત પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપિનો કળ અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્તનો હોય છે.
Page 25 of 325