________________
ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય-૮, રસનેન્દ્રિયના-૫, ઘાણેન્દ્રિયના-૨ અને ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયા થઇને ૨૦ વિષયો હોય છે. તેમાં સારા નરસાપણું કરી પોતાનો સંસાર વધારતા જાય છે. આ
જીવોનો પ્રધાનપણે સ્વભાવ એવો હોય છે કે સારા રસવાળા યુગલો મલે અનુકૂળ ગંધવાળા મલે તો પણ આંખે ગમે એવા ન હોય તો એ આહારનો ઉપયોગ ન કરે તેને છોડી બીજા આહારની શોધમાં જાય છે. આ જીવો એકેન્દ્રિય કરતાં સો ગુણો અધિક કર્મબંધ કરે છે.
અસન્ની પંચેન્દ્રિય જીવોને ૮ + ૫ + ૨ +૫ + ૩ = ૨૩ વિષયો હોય છે. તે ત્રેવીશ વિષયોમાંથી કોઇને કોઇ વિષયમાં સારા નરસાપણું કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે. આ જ પ્રધાનપણે કડક સારા અવાજવાળી ચીજ આહારમાં વધારે પસંદ કરે છે. આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં એક હજાર ઘણો અધિક કર્મબંધ સમયે સમયે કરે છે.
સન્ની પંચેન્દ્રિય જીવોને વેવીશ વિષયોમાં વિશેષ રીતે સારા નરસાપણું કરવા માટે અધિક મન મળેલું હોય છે તેથી સારી રીતે અનુકૂળ વિષયોમાં એકાગ્ર ચિત્તે રાગાદિ કરતાં જાય છે અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષાદિ સારી રીતે કરી કરીને પોતાનો સંસાર અધિક અધિક વધારતા જાય છે. આ જીવોને મન મળેલું હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં અંત: કોટાકોટી સાગરોપમ જેટલો કર્મ બંધ સમયે સમયે જ્યો. ' કરે છે અને રાગાદિની તીવ્રતાના કારણે કોઇ કોઇવાર ઉત્કૃષ્ટથી દરેક કર્મનાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને પણ કર્યા કરે છે. આજે આપણને મળેલી ઇન્દ્રિયોનો લગભગ મોટા ભાગે ક્યો ઉપયોગ કરીએ છીએ એ ખાસ વિચાર કરવાનો છે. ઇન્દ્રિયોને આધીન બની જીવવામાં બહાદુરી એટલે શૂરવીરતા નથી પણ તે તે ઇન્દ્રિયોની સંયમતા કરીને જીવવામાં બહાદુરી કહેલી છે. આથી કઇ કઇ ઇન્દ્રિયો પ્રધાનપણે મને હેરાન કરે છે વારંવાર તે તે વિષયોમાં મને ખેંચી જાય છે તે જાણીને તેનાથી છૂટવાનો અને સંયમ કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. જો એ નહિ થાય તો સંસાર માથા ઉપર ઉભો રહે છે. સંસાર કાપવો હોય અને મોક્ષનો અભિલાષ પેદા કરી તેને ટકાવવો હોય તો આ પ્રયત્ન અવશ્ય કરવો જ પડશે. આથી આખા દિવસમાં ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોમાંથી કેટલા વિષયોમાં રાગ-દ્વેષાદિ પરિણામ કરી કરીને જીવ્યા અથવા જીવીએ છીએ તેને જોવાનો પ્રયત્ન કરવો પડશેને ? આ પ્રયત્ન કરતા રહીશું તો ઇન્દ્રિયોનો સંયમ જલ્દી થઇ શકશે. આથી જ્ઞાની ભગવંતોએ કહયું છે કે એક સેકંડ અનુકૂળ પદાર્થની ઇચ્છા કરીએ અથવા પ્રતિકૂળ પદાર્થોમાં નારાજી કરીએ કે દ્વેષ કરીએ એટલે દશ ભવની પરંપરા વધે છે. બીજી વાર વિચાર કરે એટલે દશx દશ = સો ભવ થાય છે તથા એક સેંકડ અનુકૂળ પદાર્થની ઇચ્છાથી જીવોને નારીના જીવો ૧૫૧૫૬૫ર પલ્યોપમ સુધી જેટલું દુ:ખ વેઠે છે એટલું દુ:ખ વેઠવાનું કર્મ બંધાય છે.
આથી એ વિચારવાનું કે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં ઇન્દ્રિય ન્ય સુખોથી કેટલા સાવધ રહી સંયમી બનવા પ્રયત્ન કરવો પડે ? આજે આનું લક્ષ્ય કેટલાને છે? માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે
જ્યાં સુધી ઇન્દ્રિયોનું બલ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં જેટલું આત્મિક ગુણ માટે સધાય એટલું સાધી લેવું કહયું છે કે જેથી ઇન્દ્રિયોનું બલ સંસાર વર્ધક ન બને.
હવે ઇન્દ્રિયોનું સ્વરૂપ જણાવાય છે. ઇન્દ્રિયો પાંચ હોય છે તે દરેકના બબ્બે ભેદ હોય છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યન્દ્રિયના બે ભેદ હોય છે. (૧) નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ રૂપ દ્રવ્યન્દ્રિય. નિવૃત્તિ = આકૃતિ તેના પણ બે ભેદ છે. (૧) બાહ્ય (૨) અત્યંતર. બાહ્ય નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય દરેક પ્રાણીઓને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય
Page 15 of 325