SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ ધ્યાનના અભિમુખ કાળે થાય તે. (૩) આત્મારામતા, શેલેશીકરણકાળે સમગ્ર મનોયોગની નિવૃત્તિ તે. વચનગતિના બે ભેદ (૧) મીનાવલંબિની-હોંકારો, ખોંખારો, કાષ્ઠ, પાષાણનુ ક્રવું, નેત્રપલ્લવી, કરપલ્લવી પ્રમુખ છાંડીને મૌન રહેવું તથા સકલ ભાષાયોગનું રૂંધવું તે. (૨) વાનિયમિની-ભણવું, ભણાવવું, પૂછવું, પ્રશ્નોત્તર દેવો, ધર્મોપદેશ દેવો, પરાવર્તના પ્રમુખને કાળે યતનાપૂર્વક લાકને તથા શાસ્ત્રાનુસારે મુખે વસ્ત્રાદિક દઇને બોલતાં જે સાવધ યોગની નિવૃત્તિ તે. ડાયસ્કૃતિના બે ભેછે (૧) ચેષ્ટાનિવૃત્તિરૂપ-તે કાયોત્સર્ગ અવસ્થાયે, કાયયોગની સ્થિરતા, અથવા સકલ કાયયોગનું ધવું તે. (૨) યથાસૂમચેષ્ટાનિયમિની-તે શાસ્ત્રાનુસારે, સૂવું, બેસવું, ઊઠવું, લેવું, મૂકવું, જવું-આવવું, ઊભું રહેવું ઇત્યાદિ ઠેકાણે કાયાએ કરી પોતાને છેદે પ્રવર્તતી ચેષ્ટાએ કરી નિવર્તમાન થાય તે. એ પ્રકારે આચાર્યમહારાજના છત્રીશ ગુણો કહ્યા. બીજા પણ છત્રીશ છત્રીશી એટલે આચાર્ય મહારાજાના બારસો છન્ન ૧૨૯૬ ગુણો હોય છે. આચાચ-શાથી (૧) આ = મર્યાદાથી-તે સંબંધે વિનયથી + ચર્યતે યઃ જેની સેવા થાય છે તે. અર્થાત જિનશાસનના અર્થની ઉપદેશક્તાવડે તે ઉપદેશક્તાની ઇચ્છા રાખનાર જીવો જેને સેવે છે તે. (૨) “Íવવિહં 3ીયાર, 3યરમા તથા પચાસંતા | 3યારે હૃસંતા, ઉરિયા તે વૃતિ ||” અર્થ :- જે પાંચ પ્રકારનો આચાર આચરનાર તથા પ્રકાશક- દેખાડનારા છે અને જે આચારનો ઉપદેશ આપનાર છે તેને આચાર્ય કહેવામાં આવે છે. આમાં મુખ્ય “આચાર' શબ્દ લેવામાં આવ્યો છે. તેનો અર્થ આ = મર્યાદાએ + ચાર = વિહાર એ થાય છે. (૩) આ = ઇષ-થોડું-અપરિપૂર્ણ + ચાર = શિષ્ય. તેને વિષે જે સાધુ-ભલા છે તે આચાર્ય. એટલે જે અપરિપૂર્ણ-આ યુક્ત છે કે અયુક્ત છે એવો ભેદ પાડવામાં અનિપુણ પણ વિનયી શિષ્ય તેને યથાર્થ શાસ્ત્રાર્થ ઉપદેશક રહી કરે તે આચાર્ય. (૪) જે આદરવા યોગ્ય-અંગિકાર કરવા યોગ્ય વસ્તુને પોતે અંગિકાર કરે, અને બીજા પાસે કરાવે તે આચાર્ય. (આચર-આચરવું.) આચાર્યના છત્રીસ ગુણ (१) “पडिरुवाइ चउद्दस, खंतीमाई य दसविहो धम्मो । ચ ભાવમો , સૂરિ || હૃતિ છતીસં ||” પ્રતિરૂપાદિ ચૌદ ગુણ - (૧) પ્રતિરૂપ, (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી. અર્થાત સર્વ શાસ્ત્રના જાણ, (૪) મધુર વચનવાળા, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશમાં તત્પર અને Page 36 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy