SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ, (૧૮) દ્વેષ. આ રીતે સ્વાશ્રયી અપાયાપગમ અતિશય. બ. પરાશ્રયી અપાયાપગમ અતિશય - કે જેથી પારકાના ઉપદ્રવ નાશ પામે; એટલે જ્યાં ભગવાન્ વિચરે ત્યાં દરેક દિશામાં મલીને સવાસો જોજન સુધીમાં પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ, વગેરે થાય નહિ. (૯) અપાયાપગમાતિશય સ્વઆશ્રિત અઢાર દર્દોષ રહિત, પરઆશ્રી પ્રભુ વિહાર કરે તે જગ્યાએથી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, અગ્નિ, ઇશાન, વાયવ્ય અને નૈરૂત્ય, ઊંચે તથા નીચે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ, શોક, ભય, સ્વચક્ર, પરચક્ર, દુર્ભિક્ષ, ડમરાદિક, સવાસો યોજનમાં હોય નહિ. - ૨. જ્ઞાનાતિશય - જેનાથી ભગવાન્ લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણ કે તેમને કેવલજ્ઞાન છે તેથી કાંઇ પણ તેમને જાણ બહાર રહી શકાતું નથી. ૩. પૂજાતિશય - જેનાથી શ્રી તીર્થંકર સર્વ પૂજ્ય છે, એટલે ભગવંતની પૂજા રાજા, બલદેવાદિ, દેવતા-ઇંદ્ર આદિ કરે છે, અગર કરવાની અભિલાષા રાખે છે તે. ૪. વચનાતિશય - જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ, મનુષ્ય, અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે તે; કારણ કે તેમની વાણી સંસ્કારાદિ ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણે સહિત છે. તે ગુણો ‘ શ્રી જિનદેવદર્શન' વગેરે પુસ્તકમાંથી જોઇ લેવા. આવી રીતે આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય મળી બાર શ્રી અરિહંત ભગવાના ગુણ થયા. હવે સિધ્ધ ભગવાન્ વિષે બોલીશું. (૧૦) જ્ઞાનાતિશય - ભગવાન કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વરૂપને જાણનારા હોય. (૧૧) પૂજાતિશય - વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી ચાર નિકાયના દેવો ત્રણ જગતના જીવો પ્રભુને પૂજવાની અભિલાષા કરે. (૧૨) વચનાતિશય - ભગવાનની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચોને, ભીલના ‘ સરો’ ના કથન મુજબ દરેકને સમજાય છે. એક ભિલ્લને ત્રણ સ્ત્રીયો હતી. એકદા વગડામાં ભિલ્લને એક સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! ભૂખ લાગી છે, ખાવાનું આપો. બીજીયે કહ્યું તૃષા લાગી છે પાણી દે, ત્રીજીયે કહ્યું સારૂં ગાન કર, આ ત્રણેને ભીલ્લે ‘સરો નિત્ય’ એક જ શબ્દમાં જુદીજુદી રીતે સમજાવી દીધી. ખાવાનું માગનારીને સરો નદ્ઘિ બાણ નથી, તેથી કેવી રીતે જીવને માર્યા વિના તને ખાવા આપું, બીજીને કહ્યું કે સરો નસ્થિ, સરોવર નથી, ક્યાંથી પાણી લાવીને પાઉં, ત્રીજીને કહ્યું કે સરો નત્થિ. મારો કંઠ સારો નથી, કેવી રીતે ગાઉં ? જ્યારે અજ્ઞાનો ભિલ્લ જેવો માણસ પણ જંગલમાં પોતાની સ્ત્રીયોને એક જ શબ્દથી સમજાવે છે ત્યારે અનંતગુણી તીર્થંકર મહારાજા પોતાના એક જ શબ્દથી દેવ, મનુષ્ય, ભિલ્લો અને તિર્યંચોને સમજાવે તેમાં આશ્ચર્ય શું હતું ? આ બાબતમાં કલિકાલસર્વજ્ઞ, ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પોતાના બનાવેલ કાવ્યાનુશાસનગ્રંથની સ્વોપજ્ઞ અલંકારચુડામણિ નામની ટીકાઓ કહે છે કે તેવાઢેવી નમનારી, શવમશ્થાપિશાવરી, तिर्यंचो पितर्मिंचिच, मेनिरे भगवद्गिरम ||१|| ભાવાર્થ :- દેવો દૈવી ભાષામાં, મનુષ્યો મનુષ્યની ભાષામાં, ભિલ્લાદિક ભિલ્લની ભાષામાં, તિર્યંચો તિર્યંચની ભાષામાં ભગવાનની વાણીને એક જ વખતે સમજી શકે છે. આ પ્રમાણે અરિહંત મહારાજાના બાર ગુણો કહ્યા. અરિહંત દેવના ચોત્રીશ અતિશયો Page 22 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy