________________
પગ, મસ્તકાદિના સંકોચાદિ વડે કાયાથી નમનક્રિયા કરનારો નમસ્કાર ‘નો-આગમથી ભાવ નમસ્કાર'
"
છે. અહીં ' નો ' શબ્દ નિષેધવાચક નથી, કિન્તુ મિશ્રવાયક છે. ઉપયોગરૂપ 'આગમ' અને વચનકાયાની ક્રિયારૂપ ‘ આગમાભાવ' ઉભયથી મિશ્ર હોવાથી, તેને નો-આગમથી ભાવ નમસ્કાર કહેવાય છે. નવકારમંત્ર આપવાનો વિધિ
સામાન્ય રીતે નવકારમંત્ર ગણવા માટે ઉપધાન તપની આરાધના કરવાનું વિધાન શાસ્ત્રમાં કહેલું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવકના ઘરે બાળક જન્મે એ બાળકને એની માતા છ માસનું થાય ત્યારી સૂર્યાસ્ત થાય એ પહેલાં બાળકને સ્તનપાન કરાવીને સુવડાવી દે. ત્યારથી સૂર્યોદય ન થાય ત્યાં સુધી એ બાળક રાતના સમયે કાંઇ માંગે નહિં એવી સ્થિતિ પેદા કરે. આ રીતે અભ્યાસ કરાવતા ઘીરે ધીરે એ બાળક નવકારશીના ટાઇમ પહેલા ન માગે એ રીતે ટેવ પડાવે જ્યારે બાળક બરાબર થઇ જાય એમ લાગે
ત્યારે એમાં પોતે બાળકને નવકારશીનું પચ્ચક્ખાણ આપે, રાતના ચૌવીહારનું પણ પચ્ચક્ખાણ આપે, આ રીતે નવકારશી-ચોવીહાર કરાવતા કરાવતાં સાડાબાર ઉપવાસ જેટલો તપ એ બાળક પાસે કરાવે. આ જીવો માટે શાસ્ત્ર નિયમ કર્યો છે કે અડતાલીશ નવકારશી બરાબર એક ઉપવાસ ગણાય આ રીતે સાડાબાર ઉપવાસની ૬૦૦ દિવસની નવકારશી થાય ત્યારે બાળક લગભગ અઢી ત્રણ વરસનો થાય એટલે બાળકને કહે તને ગુરૂના મુર્ખ, સારા દિવસે ભગવાનના મંદિરે ઓચ્છવ કરી સારા મુહૂર્ત નવકાર આપવાનો છે. આ શબ્દો સાંભળતા બાળકને અંતરમાં નવકાર પ્રત્યે બહુમાન આદરભાવ વધે અને ઉલ્લાસ વધે છે.
પછી જ્યારે એ તપ પૂર્ણ થાય એટલે મા બાપ પોતાની શક્તિ મુજબ ભગવાનના મંદિરે ઓચ્છવ રાખી વાજતે ગાજતે ગુરૂ મહારાજને પોતાના ઘરે લાવીને ચતુર્વિધ સંઘની હાજરીમાં સારા દિવસે સારા મુહૂર્ત તે બાળકને ઉભો કરી સંઘ સમક્ષ ગુરૂ મહારાજના મુખે નવકાર અપાવે. આ રીતે નવકાર પામેલો આત્મા પ્રાયઃ કરીને પુણ્યના ઉદયથી સુખ મલે તો તેમાં છકી ન જાય અને લીન પણ ન બને. પાપના ઉદયથી દુખ આવે તો તેમાં દીન પણ ન બને અને સમાધિપૂર્વક વેઠવાની શક્તિ કેળવે આ વિધિ શાસ્ત્રમાં કહેલો છે.
જ્ઞાની ભગવંતોએ નવકારમંત્રને ગણવાના અધિકાર માટે ત્રણ ગુણો મેળવવાના કહ્યા છે અથવા એ ત્રણ મેળવવાનું ધ્યેય રાખીને ગણવાનું વિધાન કહેલું છે,
(૧) ક્ષમા ગુણ, (૨) ઇન્દ્રિયની સંયમતા ગુણ અને (૩) સમતાભાવ ગુણ. આ ત્રણેય ગુણોને શાસ્ત્રોમાં ખાંતો-દાંર્તા અને શાંર્તા આ ત્રણ શબ્દોથી જણાવેલા છે.
ક્ષમા ગુણ પાંચ પ્રકારે કહેલો છે.
(૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા અને (૫) ધર્મ ક્ષમા. (૧) ઉપકાર ક્ષમા ઃ- કોઇપણ જીવે પહેલા આપણા ઉપર ઉપકાર કરેલ હોય અને એ ઉપકારના કારણે એ ગુસ્સો કરે તો સહન કરવો અથવા કોઇ જીવ ભવિષ્યમાં આપણા ઉપર ઉપકાર કરશે એવી ભાવના હોય માટે એ જીવો ગુસ્સો ગમે તેટલો કરે તો પણ સહન કરી ક્ષમા ગુણને ઘારણ કર તે ઉપકાર ક્ષમા ગુણ કહેવાય છે. આ ક્ષમા ગુણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી સંસાર વૃધ્ધિનું કારણ કહેલ છે. આવી ક્ષમા સંસારમાં રહેલા જીવો પોતાનો સ્વાર્થ સાધવા માટે સતત જ્યારે જરૂર પડે ત્યારે કરતા જ હોય છે. જેમકે વેપારી વેપાર કરવા માટે પેઢીએ બેઠેલો હો-ગ્રાહક આવીને ગમે તેટલી ગાળો બોલે-અપ શબ્દો બોલે તો પણ તે હસીને સાંભળી તે છે પણ સામો જવાબ આપતો નથી કારણ કે જો સાર્મા જ્વાબ આપે તો ગ્રાહક જતો રહેશે માટે એ ગમે તે બોલે તો પણ શાંતિથી સાંભળી લે છે કારણ કાર્ય
એજ ગ્રાહક માલ લેવા આવશે અને પૈસા આપી જશે. આ કારણથી એ સ્વાર્થ વૃત્તિથી, સંસારની વૃધ્ધિ થતી હોવાથી એ ક્ષમાને ગુણરૂપે કહેલ નથી.
Page 2 of 50