________________
ધારણ કરીને રહ્યા છે છેલ્લે જ્યારે સંગમ થાકીને દેવલોકમાં પાછો જાય છે ત્યારે ભગવાને વિચાર કર્યો કે સંસાર તારક એવા અમે અને આ મને પામીને સંસારમાં હારી જાય છે આને પણ હું તારી શકતો નથી. આ જ્યારે વિચાર કરે છે ત્યારે આત્મામાં રહેલો ક્રોધ ભગવાનને કહે છે કે આવા આત્મા પ્રત્યે ક્ષમા કરો છો તો મારૂં કામ ક્યારે પડશે ? આ વાતનો જવાબ આપતા કહે છે કે મારે જરૂર જ ક્યાં છે ? આના ઉપરથી વિચાર કરો કે આ ધર્મ ક્ષમા કેટલી ઉંચી કોટિની છે. આવી ક્ષમા આવે ત્યારેજ જીવને કેવલજ્ઞાન પ્રાપ્તિ જલ્દી થઇ શકે માટે આ ક્ષમા ગુણ કેળવવો ખૂબ જરૂરી છે.
નમસ્કારમંત્ર સિધ્ધિ નામના ગ્રંથમાં નમસ્કાર મહામંત્રની સાધના કરનારમાં કેવા ગુણો હોવા જોઇએ તેનું વર્ણન પંચ પરમેષ્ઠિ ધ્યાન માલામાં કરેલું છે.
(૧) શાંત-સમતા (૨) દાંત ઇન્દ્રિયોને જીતનાર (૩) ખાંત-ક્ષમા.
સાચા સાધકમાં એટલે આરાધના કરનાર આત્માઓમાં દયા જોઇએ-નમ્રતા જોઇએ-પ્રાર્થના અંતરની જોઇએ-સમતાભાવ જોઇએ અને શાંત સ્વભાવ જોઇએ આટલા લક્ષણો અવશ્ય હોવા જોઇએ.
બીજી રીતે પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનાર-ગણનાર આત્માઓમાં પણ કેવા કેવા ગુણો હોવા જોઇએ એના માટે કહ્યું છે કે
(૧) શાંત-સમતા ભાવ, (૨) દાંત-ઇન્દ્રિયોનું દમન કરનાર, (૩) ગુણવાન દયા-પરોપકાર વગેરે, (૪) સંતપુરૂષોની સેવા કરનાર, (૫) વિષય કષાયનું વારણ કરનાર, (૬) જ્ઞાન દર્શનનો આરાધક-સુવિચારી, (૭) સ્યાદ્વાદ રૂપી રસથી રંગાયેલો, (૮) સમતાનો રસ તેમાં હંસની માફ્ક ઝીલવું એટલે તરવું અથવા તેમાં નિમગ્ન રહેવું અને (૯) શુભ પરિણામના નિમિત્તથી અશુભ સઘળા કર્મોને છોલે. આવા જીવો પંચ પરમેષ્ઠિ પદોને ગણવાનો-સાધના કરવાનો અધિકારી કહ્યો છે. પંચ પરમેષ્ઠિની સાધનાનો મૂળ હેતુ ભવ ભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાનો છે. રક્ષણ ત્યારે જ મલે કે જન્મ મરણની શૃંખલાનો (સાંકળનો) સદાને માટે અંત આવી જાય.
(૧) શાંત = સમતા ગુણ :- આ ગુણ આત્માનો છે. અનાદિ કાળથી જગતમાં ભટકતાં ભટકતાં જીવોને અનાદિ સ્વભાવ-અનાદિ કર્મના યોગે પેદા થયેલો છે કે જે અનાદિ કર્મનો સંયોગ રાગ-દ્વેષનો પરિણામ એટલે અનુકૂળ પદાર્થોમાં ગાઢ રાગ રૂપ પરિણામ અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષ રૂપ પરિણામ રહેલો છે એ જીવનો અત્યંતર સંસાર કહેવાય છે. આ અત્યંતર સંસારના પરિણામે બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ ચાલતો હોય છે. જેમ જેમ જીવો અનુકૂળ પદાર્થોમાં રાગ કરતા જાય છે અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરતા જાય છે તેમ તેમ તેઓનો બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ વધતો જાય છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે ક જેમ જેમ પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો મલે તેમ તેમ જીવને તે પદાર્થો ગમતાં જાય છે કારણ કે એ પદાર્થોમાં સુખ બુધ્ધિ બેઠેલી છે. એ સુખ બુધ્ધિના કારણે અનુકૂળ પદાર્થો જૂએ અને મલે કે તરત જ એના પ્રત્યે ગમો પેદા થાય છે. વારંવાર એ પદાર્થો ગમતાં થાય એટલે એના પ્રત્યે આસક્તિ ભાવ પેદા થાય છે. જે જે પદાર્થો પ્રત્યે આસક્તિ વધતી જાય ચે તેમ તેમ તે તે પદાર્થો પ્રત્યે મમત્વ બુધ્ધિ એટલે મારાપણાની બુધ્ધિ પેદા થતી જાય છે અને વધતી જાય છે. જે પદાર્થો પ્રત્યે મારાપણાની બુધ્ધિ વધે છે. તે પદાર્થો પ્રત્યે મૂર્છા પેદા થતી જાય છે. આ સ્વભાવને આધોન થઇને જીવો પ્રવૃત્તિ કરે છે એનાથી સદા માટે અશાંત રહે છે એટલે સદા અશાંતિમાં જ જીવતા હોય છે એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થો જોવામાં આવે તો એનાથી નારાજી થાય છે એ પદાર્થો પ્રત્યે અણગમો થાય છે એટલે એ પદાર્થો ગમતા નથી પછી વારંવાર જોતાં નારાજી પેદા થાય છે. એના પછી વારંવાર પ્રતિકૂળ પદાર્થો જોતાં-અનુભવતાં ક્રોધ પેદા થતો જાય છે અને છેલ્લે એ પદાર્થો પ્રત્યે દ્વેષ બુધ્ધિ પેદા થતી જાય છે. આ સ્વભાવ અનાદિકાળથી ચાલે છે. આથી અનુકૂળ પદાર્થોથી એ ન મલે તો મેળવવા-મળેલાને ભોગવવા-વધેલાને સાચવવા-વધારવા અને કાયમ ટકાવવા માટે તથા જાય તો રોવામાં અને છેલ્લે મૂકીને જવું પડે એમાં પણ જીવ નારાજ હોય છે. આ બધામાં સદા માટે
Page 9 of 65