SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલેન્દ્રિયનો એમ કરતાં કરતાં એક હજા સાગરોપમ અને બે હજાર સાગરોપમ કાળ સુધી ર્યા કરે છે પછી અવશ્ય જીવ એકેન્દ્રિયપણાને પામે છે. આ રીતે એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિયપણા સુધી જીવો તાં તાં પાછા એકેન્દ્રિયપણામાં જાય અને પાછો સંખ્યાનો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ રખડ્યા કરે છે. આ કારણથી સન્ની પંચેન્દ્રિયપણાને પામવાનો વારો જ જીવોને પેદા થઇ શકતો નથી. આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં દુ:ખોને વેઠી વેઠીને કર્મોની અકામ નિર્જરા કરીને પુણ્ય ઉપાર્જન કરેલું હોય એટલે કે એકઠું કરેલું હોય ત્યારે જીવોને સન્નીપણું પ્રાપ્ત થાય છે. આ રીતે જ્યારે સન્ની પંચેન્દ્રિય તિર્યચપણાને જીવ પામે છે ત્યારે જઘન્ય આયુષ્યવાળા સાત સાત ભવો કરી કરીને વચમાં વિકલેન્દ્રિય પણાના ભવ કરી કરીને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ અથવા બે હજાર સાગરોપમ કાળ ક્ષ્ય કરે છે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે પાછો એકેન્દ્રિયપણામાં વા જાયા છે ત્યાં સંખ્યાનો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ પાછો ફ્સ કરે છે. સન્ની પંચેન્દ્રિય તિર્યચપણામાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતભવ કરી આઠમો ભવ કરે તો યુગલિક તિર્યંચનો. એટલે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચનો ભવ કરે છે પછી ત્યાંથી દેવલોકમાં જાય છે. પણ કેટલાક સન્ની પંચેન્દ્રિય તિર્યંચના સાત ભવો ઉત્કૃષ્ટ આયુષ્યના કરી વચમાં વિશ્લેન્દ્રિયનો એક એક ભવ કરતાં કરતાં બે હજાર સાગરોપમ કાળ સુધો કરે છે. પછી નિયમાં એકેન્દ્રિયપણામાં જાય છે. કેટલાક જીવો જઘન્ય આયુષ્યવાળા સન્ની તિર્યંચ અને જઘન્ય આયુષ્યવાળા સન્ની મનુષ્ય રૂપે કરી કરીને એક હજાર સાગરોપમ કાળ સુધી ફ્સ કરે છે. પછી વિકલેન્દ્રિયનો એક ભવ કરી ફ્રી પાછા તિર્યંચ અને મનુષ્યના ભવો એક હજાર સાગરોપમ સુધી ક્યા કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરીને પાછા એકેન્દ્રિયપણામાં નિયમાં જાય છે ત્યાં સંખ્યાતો. કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ રખડ્યા કરે છે. ી પાછા એકેન્દ્રિયપણામાં દુ:ખોને વેઠીને અકામ નિર્જરા કરી કરીને પુણ્ય એકઠું કરીને જીવો સન્ની મનુષ્યપણાને પામી શકે છે. એમાં પણ જો અધિક પુણ્ય એકઠું થયેલું ન હોય તો જઘન્ય આયુષ્યવાળા સન્ની મનુષ્ય રૂપે સાતભવ કરી વિકલેન્દ્રિયપણાને એક ભવ રૂપે પામી પાછા સાત ભવ જઘન્ય રૂપે કરી પાછો એકભવ વિકલેન્દ્રિયનો પામીને બે હજાર સાગરોપમ સુધી ફ્સ કરે છે પછી પાઓ એકેન્દ્રિયમાં નિયમા જાય છે ત્યાં સંખ્યા તો કાળા અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ કરે છે. જે જીવોનું પુણ્ય વધારે એકઠું થયેલું હોય એ જીવો સન્ની મનુષ્યપણામાં ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે અથવા મધ્યમ આયુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે પણ તેમાંય જો પુણ્ય ઓછું હોય તો અનાર્ય ક્ષેત્રમાં-અનાર્ય-કુળમાં-આર્યદેશમાં પણ અનાર્ય જાતિ આદિમાં ઉત્પન્ન થઇ અનેક પ્રકારના પાપોને કરીને નરકાયુષ્યનો બંધ કરીને નરકમાં વા માટે જાય છે. આ રીતે નરકનો કાળ મોટો અને ત્યાંથી મનુષ્યપણામાં આવીને બે મહિનાના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યપણામાં ઉત્પન્ન થાય પાછું નરકનું આયુષ્ય બાંધીને નરકમાં જાય આ રોતે એક હજાર સાગરોપમ કાળ સુધી મનુષ્ય-નરક-મનુષ્ય-નક કરતાં કરતાં ક્ષ્ય કરે છે. જ્યારે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એક ભવ વિકલેન્દ્રિયનો કરીને મનુષ્ય થઇ નરકનું આયુષ્ય બાંધી નરકમાં જાય પાછા મનુષ્ય. નરક-મનુષ્ય-નરક કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી પાછો એકેન્દ્રિયપણામાં વા જાય છે જ્યાં સંખ્યાનો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ રખડ્યા કરે છે. આ રીતે વા છતાં મનુષ્યપણાને પામવા છતાં પણ જીવો નવકારમંત્રને પામી શકતા નથી. જ્યારે પાછા આ જીવો દુ:ખ વેઠીને અકામ નિર્જરા કરતાં કરતાં પુણ્ય એકઠું કરીને સન્ની. Page 3 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy