SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તે અને ભીમ એટલે ધરતીકંપથી શુભાશુભ ળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્તથી ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું, શત્રુના વિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણ ટુમણ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વેધક ક્રિયા કરવી અને સંતતિનાં શુભાશુભ બતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવા અને યોગના પાદલેખો તૈયાર કરવા તથા તેવાજ પ્રકારના બીજા પણ છે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારો અને બીજા પ્રાણીઓના ઉપમદનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો ક્રમાવે તેવા જે જે વ્યાપારો તેનેજ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાણે છે એટલું જ નહિ પણ નિ:શંક બનેલા જેઓ કોઇ પણ જાતિની શંકા વિના એ વ્યાપારોનો પ્રયોગ કરે છે અને પાપમાં તત્પર બનેલા જે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોંચે છે એમ માનતા નથી, તેઓજ આ વિશ્વમાં ગુણી છે, ધીર છે, પૂજ્ય છે અને બુદ્ધિશાળીઓ છે, એટલું જ નહિ પણ તેજ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, આ પ્રમાણે મનાવી હે ભદ્ર ! મોહરાજાનો આ મિથ્યાદર્શન નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.” અને “थे पुनर्मत्रतन्त्रादि वेदिनोडप्यातिनि:स्पृहा: । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीख: ।। ८ ।। __ मूकान्धा: परवृतान्ते, स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेडपि, किं पूनर्द्र विपादिके ।। ९ ।। कोपाहरुकारलाभाथै- रत: परिवर्जिताः । तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोषना: ।। १० ।। ___ न दिव्यादिकमारुयान्ति, कुहकादि न कुर्वते । મત્રાદીક્ષાગુતિષ્ઠત્તિ, નિમિત્ત ન પ્રયજ્ઞતે || 99 II. लोकोपचारं नि:शषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचिता: सदाडडस्ते ।। १२ ।। ते निर्गुणा मलोकझा, विमूडा भोगवचिता: । ઉપમાનતા હોળી-શાનદીના પૂર્વદા: || | इत्येवं निजवीर्येण, यहिरङगजनेडमुना । તે મિથ્યાર્શનાવેન, રથાપિતા મદ્ર ! સાધવ: || ||” “જે મહાપુરૂષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ અતિ નિ:સ્પૃહ છે, લોકયાત્રાથી. નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે : એ જ રીતિએ જે મહાપુરૂષો પરના વૃતાન્તમાં મુંગા અને અંધા હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત-જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરૂષો કોપ, અહંકાર અને લોભ આદિથી. દૂરથી જ તજાયેલા છે, અર્થાત્ - જે મહાપુરૂષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરૂષો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઇની પણ Page 75 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy