________________
સંસારસાગરથી ઉદ્વાર કરનારા છે. એટલે કે-એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિન્ત્ય વસ્તુઓના ઝહાજ તુલ્ય હોઇ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મલ ચિત્તને ધરનારા મહાપુરૂષોના પારને વિષે એ મહામોહના મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.”
સાચા મહાદેવોને છૂપાવી કુદેવોને મહાદેવો તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રાપક સદ્ધર્મને છૂપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્ત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરૂષોને અપાત્ર તરીકે જાહેર કરી કેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુદ્ધ અને અનેકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે
“कौतुकं कुहकं मन्त्र - मिन्द्रजालं रसक्रियाम् । નિર્વિષીરાં તત્ર-મન્તર્ધાનું સવિસ્મયમ્ || 9 || औत्पातमान्तरिक्षं च, दिव्यमाड्गं स्वरं तथा । તક્ષનું વ્યનાં મૌમ, નિમિત્તે હૈં શુમાશુમમ્ || ૨ || ૩Çાદનું સવિદ્વેષ-માયુર્વેતં સનાતમ્ | ज्योतिषं गणितं चूर्णं -योगलेपास्तथाविधाः || ३ || ये चान्ये विस्मयकरा, विशेषा पापशास्त्रजाः । अन्ये भूतोपमर्दस्य, हेतव: शाठ्यकेतवः || ४ || तामेव ये विजानन्ति, निःशङ्का श्च प्रयुज्जते । ન ધર્મયાઘાં મન્યતે, શા: પાપપરાયળા: || ૭ || तएव गुणिनो धीरास्ते पूज्यास्ते मनस्विनः । ત વ વીરાસ્તે વામ-માનિનરતે મુનીશ્વરા: || ૬ || इत्येवं निजवीर्येण, वहिरड्गजनेमुना | મિથ્યાર્શનસંોન, મદ્ર ! પાપા: પ્રશિતા: || ૭ ||”
“કૌતુક એટલે સૌભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિધા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતિએ અંજન દ્વારા અદૃશ્ય થવાની ક્રિયા, ઔત્પાત એટલે તારા વિગેરેના ખરવાથી સારા-ખોટા
ફ્લનું કથન કરવું તે, આન્તરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારા-નરસા ફ્લનું પ્રતિપાદન કરવું તે, દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝંપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી તે, આંગ એટલે પુરૂષો અને સ્ત્રીઓના જમણાં અને ડાબાં અંગો કવાથી શુભાશુભ ળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ફ્ળનું કથન કરવું તે, લક્ષણ એટલે હાથ અને પગની રેખા ઉપરથી સારા નરસા ફ્ળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફ્ળનું કહેવું તે અને ભૌમ એટલે ધરતીકંપથી શુભાશુભ ફ્ળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્તથી ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું; શત્રુના વિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણ ટુમણ
Page 20 of 191