SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા શીત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- પાંચ ધનુષ્ય, એક હાથ, વીશ અંગુલ. આયુષ્ય- ૩/૫ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦. દશમા વક્રાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- છ ધનુષ અને સાડાચાર અંગુલ. આયુષ્ય૭/૧૦ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦. અગ્યારમા અવકાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- છ ધનુષ્ય, બે હાથ અને તેર અંગુલ. આયુષ્ય- ૪૫ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦. બારમા વિક્રાન્ત પ્રતરમાં રહેલા જીવાને :- શરીરની ઉંચાઈ- સાત ધનુષ અને સાડા એક વીશ અંગુલ. આયુષ્ય- ૯ ૧૦ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦ હોય છે. તેરમા રોરૂક પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઈ- ૭ ધનુષ પ્રાણ, ત્રણ હાથ, છ અંગુલ હોય છે. આયુષ્ય- ૧ સાગરોપમ સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬ અને પ્રાણો દશ હોય છે. આ છેલ્લો પ્રતર પૂર્ણ થાય છે. આ દરેક પ્રતરની વચમાં વચમાં આંતરું હોય છે. તે આંતરૂં ૧૧૫૮૩ ૧/૩ યોજનાનું હોય છે. માટે તેર પ્રતરની વચમાં બાર આંતરા થાય છે. જેમ પાંચ આંગળમાં વચમાં આંતરા ચાર થાય છે. એની જેમ આ બાર આંતરાનો પહેલો અને છેલ્લો એમ બે આંતરા છોડીને વચલા દશ આંતરા જે રહ્યા તેમાં એક એક આંતરામાં ભવનપતિ દેવોના આવાસો આવેલા હોય છે અને તેની સાથે સાથે પરમાધામી દેવોના પણ આવાસો આવેલા હોય છે. પછી એક હજાર યોજન સુધી પૃથ્વીનો ભાગ હોય છે. ત્યાર પછી પહેલી રત્નપ્રભા પૃથ્વી પર્ણ થાય. આ રત્નપ્રભા પૃથ્વી પૂર્ણ થતાં ચારે બાજુથી વીંટળાઇને વીશ હજાર યોજન સુધી ઘનોદધિ આવેલો છે તેના પછી અસંખ્ય યોજન સુધી ઘનવાત આવેલો છે તેના પછી અસંખ્ય યોજન સુધી તનવામાં આવેલો છે અને તે પૂર્ણ થાય પછી અસંખ્ય યોજન સુધી આકાશ આવેલું છે એટલે ખાલી જગ્યા આવેલી છે તેના પછી જ બીજી પૃથ્વી શરૂ થાય છે. બીજી શર્કરા પ્રભા પૃથ્વીનું વર્ણન આ પૃથ્વી એક લાખ બત્રીસ હજાર (૧૩૨000) યોજન ઉંચાઇવાળી છે અને પહોળાઇમાં બે રાજવાળી છે તેમાં વચલા એક રાજમાં જ પોલાણ ભાગ હોવાથી નારકીના જીવો એક રાજમાં જ રહેલા હોય છે. બાકીનો એક રાજ યોજન જે છે તેમાંથી અડધો રાજ પૂર્વ તરફ અને અડધો રાજ પશ્ચિમ તરફ રહેલો હોય છે. આ પૃથ્વીમાં ૧૧ પ્રતરો હોય છે. દરેક પ્રતરની ઉંચાઇ ત્રણ હજાર યોજનાની હોય છે. બીજી નારકી અપર્યાપ્ત જીવોને વિષે શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત. અપર્યાપ્તાવસ્થા રૂપે. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦ હોય છે. પર્યાપ્તા બીજી નારકીને વિષે Page 88 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy